Chhota Udepur: નસવાડી તાલુકામાં આઝાદીના વર્ષો પછી રોડ બનતો હોવા છતા ગ્રામજનો કરી રહ્યા છે વિરોધ, જાણો શું છે કારણ

રોડની કામગીરી (Road Work) કરવામાં આવી રહી છે. તેમાં ગુણવત્તાનો (Quality) અભાવ જોવાઈ રહયો છે. રોડ પર ફક્ત કપચી જ જોવા મળી રહી છે.

Chhota Udepur: નસવાડી તાલુકામાં આઝાદીના વર્ષો પછી રોડ બનતો હોવા છતા ગ્રામજનો કરી રહ્યા છે વિરોધ, જાણો શું છે કારણ
Villagers allege corruption in road works
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 10, 2022 | 4:26 PM

છોટા ઉદેપુરના (Chhota Udepur) નસવાડી (Nasvadi) તાલુકાના ડુંગર વિસ્તારમાં આવેલા વાડીયાથી ડબ્બા ગામ વચ્ચેના બે કિમીનું પાકા રસ્તાનું કામ ચાલી રહ્યું છે. ગામ લોકો જે રોડની કામગીરી ચાલી રહી છે તેનો વિરોધ કરી રહ્યા છે. તેનું એક જ કારણ ગામ લોકો બતાવી રહ્યા છે કે, જે રોડની કામગીરી કરવામાં આવી રહી છે. તેમાં ગુણવત્તાનો અભાવ જોવાઈ રહયો છે. રોડ પર ફક્ત કપચી જ જોવા મળી રહી છે. ડામર નામ માત્રનો છે અને ખાસ વાત એ છે કે રોડ નીચેના લેયરનું પિચિંગ કરવાનું હોય તે કરવામાં આવ્યું નથી. જે રોડ(Road Quality) બનાવ્યો છે તેને હાથ લગાડતા જ પોપડીઓ ઉખડે તેમ ઉખડવા લાગે છે. રોડ જોતા જ કોઇને પણ ગુણવત્તાનો ખ્યાલ આવી જાય. જેથી હલકી ગુણવત્તાનું કામ થતુ હોવાનો ગ્રામજનોએ વિરોધ ઉઠાવ્યો છે.

નસવાડીમાં જે સ્થળે કામ ચાલી રહ્યુ છે ત્યાં TV9 ગુજરાતીની ટીમ પહોંચી હતી. જો કે આ સ્થળે કોઇ અધિકારી જોવા મળ્યા ન હતા. સ્થળ પર કામ કરાવી રહેલા વ્યક્તિને તેમના અધિકારી વિશે પુછવામાં આવ્યુ તો તેણે તે બાબતની જાણકારી ન હોવાનું જણાવ્યુ હતુ.

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ કર્યા આક્ષેપ

બીજી તરફ સંખેડા બેઠકના કોંગ્રેસના માજી ધારાસભ્ય ધીરુભાઇ ભીલે આ મામલે આક્ષેપ કરતા જણાવ્યુ કે, જે રોડ બનાવવામાં આવ્યો છે તે પહેલા જ વરસાદમાં ધોવાઈ જશે. ચૂંટણી નજીક આવે છે ત્યારે રાતો રાત કામો કરી દેવામાં આવી રહ્યા છે, તેમણે એમ પણ જણાવ્યુ કે વિકાસના કામો અમે અનેક કર્યા છે, પણ આવા ભ્રષ્ટાચાર અમે નથી કર્યા. પહેલા જ્યારે રોડ બનાવવામાં આવતા હતા, ત્યારે યોગ્ય તપાસ થતી હતી હવે મન ફાવે તેમ રોડ બનાવી દેવામાં આવે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ધારાસભ્ય અભેસિંગ તડવીએ આપી ખાતરી

તો ભાજપના હાલના સંખેડા બેઠક ના ધારાસભ્ય અભેસિંગ તડવીએ કહ્યુ કે, આ વિસ્તારની વિકટ સ્થિતિને ધ્યાને લઈ આ વિસ્તારમાં રોડ બનાવવાની મંજૂરી લીધી હતી અને રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે કેટલાક ગામના લોકોએ આ રોડના કામમાં ખરાબ ગુણવત્તાની ફરિયાદ મને કરી છે. ત્યારે આ મામલે હું વિજિલન્સની તપાસ માગવાનો છું. હું ખોટું નહીં થવા દઉં. ધારાસભ્યએ હાલ તો ગ્રામજનોને રસ્તાની કામગીરી બાબતે તપાસની બાંહેધરી આપી છે. ત્યારે હવે જોવુ રહ્યુ કે આ બાબતે શું નિરાકરણ આવે છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">