Chhota Udepur : નસવાડી પ્રાથમિક શાળાના તાળા ત્રણ શિક્ષકોની બદલી બાદ 13 દિવસે ખૂલ્યા

આ ગામની શાળાના ત્રણ શિક્ષકો કોઇ કારણે અંદર અંદર ઝધડતા હોવાના લીધે બાળકોના અભ્યાસમાં ખલેલ પહોંચતો હતો. જેમાં વાલીઓએ બે શિક્ષક અને એક શિક્ષિકાની બદલીની માંગ કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2021 | 4:34 PM

છોટા ઉદેપુર( Chhota Udepur ) )ની નસવાડી તાલુકાની પ્રાથમિક શાળા(School) ના 13 દિવસ બાદ તાળાં ખૂલ્યા હતા. જેમાં આ ગામની શાળાના ત્રણ શિક્ષકો કોઇ કારણે અંદર અંદર ઝધડતા હોવાના લીધે બાળકોના અભ્યાસમાં ખલેલ પહોંચતો હતો. જેમાં વાલીઓએ બે શિક્ષક અને એક શિક્ષિકાની બદલીની માંગ કરી હતી. જો કે માંગ ન સંતોષતા ગામ લોકોએ 13 દિવસ પૂર્વે આ શાળા પર તાળા મારી દીધાં હતા. આ વાત રાજયના શિક્ષણ પ્રધાન સુધી પહોંચતા ત્રણે શિક્ષકોની બદલી કરવામાં આવી હતી. જેના લીધે વાલીઓમાં સંતોષ છે. જેના પલગે વાલીઓએ આજે શાળા પર લગાવેલા તાળાં ખોલી નાખ્યા હતા.

આ પણ વાંચો :  જાણો શા માટે 2021માં થનારા ઓલિમ્પિકને Tokyo Olympics 2020 કહેવાય છે ?

આ પણ વાંચો : તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની આ અભિનેત્રી લેશે Bigg Boss 15 માં ભાગ! મનોરંજન થશે ડબલ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">