Gujaratનું એક એવું ગામ કે જ્યાં બે બેડા પાણી માટે મહિલાઓને કરવા પડે છે રાતે ઉજાગરા

કલાકો સુધી લાઈનોમા ઉભી રહેતી મહિલાઑને ઘરના પુરુષો પણ મદદ કરી રહયા છે. આવનારા સમયમાં જો આ બોરમાં પણ પાણી ખતમ થશે ત્યારે શું હાલત થશે તે વિચાર માત્ર જ ગામના લોકોને હચમચાવી મૂકે છે

Gujaratનું એક એવું ગામ કે જ્યાં બે બેડા પાણી માટે મહિલાઓને કરવા પડે છે રાતે ઉજાગરા
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Mar 31, 2021 | 12:36 PM

ઉનાળાની શરૂઆત થતાજ અંતરિયાળ વિસ્તારોમાં પાણી પાણીની પોકારો ઉઠવા લાગી છે. આવુજ એક છોટાઉદેપુરનું નસવાડી તાલુકાનું ગામ ખુસાલપુરા કે જે ગામના લોકોને પીવાનું પાણી મળે તે માટે નળ સે જળ યોજના તો અમલમાં છે છતાં ગામ લોકો પીવાના પાણી માટે વલખા મારી રહયા છે.

ગામમા પીવાના પાણી માટે સરકાર તરફ થી ટાંકી , હેન્ડપમ્પો અને નળ સે જળ યોજના અંતર્ગત ઘરે ઘરે નળ બેસાડી 3.50 લાખ નો ખર્ચ કરી 75 નળ બેસાડયા છે. આમ છતાં ગામની મહિલાઓને બે બેડા પીવાનું પાણી મેળવવા ગામના એકજ હેન્ડ પમ્પ પર રાત્રીના ઉજાગરા કરીને પાણી ભરવા માટેની લાંબી લાઈનો માટે ઊભું રહેવું પડે છે. બોરમાં જેટલું પાણી બચ્યું હોય તેટલુ પાણી ગામની મહિલાઓને મળે બાકીની મહિલાઓને પાણી વગર વલખા મારવાનો વારો આવે છે. કલાકો સુધી લાઈનોમા ઉભી રહેતી મહિલાઑને ઘરના પુરુષો પણ મદદ કરી રહયા છે.

આ પણ વાંચો : Bank Holidays in April 2021: જાણો બેંક કેટલા દિવસ રહેશે બંધ ,કરીલો નાણકીય કામનું આયોજન

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

હાલમા તો ગામના એકજ બોરમા પાણી થોડું ઘણું પાણી મળે છે. આવનારા સમયમાં જો આ બોરમાં પણ પાણી ખતમ થશે ત્યારે શું હાલત થશે તે વિચાર માત્ર જ ગામના લોકોને હચમચાવી મૂકે છે. ગામના લોકો બે બેડા પાણી મેળવવા કલાકો સુધી રાહ જોવી પડતી હોય તો અબળ પશુઓની શું હાલત થતી હશે તેનો અંદાજો લગાવી શકે છે. વર્ષોથી ગામના લોકોને પડી રહેલ મુશ્કેલી ને લઇ રજૂઆતો કર્યા બાદ નળ સે જળ યોજનાનો લાભ તો આપવામા આવ્યો પણ એજ યોજનાના નળ શોભાના ગાંઠીયા સમાન હોવાનું ગામના લોકોનું કહેવું છે. આજ દિન સુધી પાણી મળ્યું જ નથી. જેના સાક્ષી ખુદ ઘરે ઘરે લગાવેલા નળ છે. લગાવેલા નળ જો કોઈ રીતે તૂટી ગયા હોય કે કી ખરાબી થઈ હોય તો તેનું સમારકામ કોન્ટ્રાકટરો દ્વારા કરવામાં નથી આવતું તેવો ગ્રામજનોનો આક્ષેપ છે.લાંબા સમય બાદ પણ પાણીથી વંચિત રહેતા ગામ લોકો માટે આ સરકારી યોજના નકામી બની ગઈ છે.

આ પણ વાંચો : Bhavnagar: ગરીબ દર્દીઓ માટે વહિવટી તંત્ર આવ્યું આગળ, રેમડેસિવીર ઈન્જેક્શનનાં ભાવમાં કર્યો મોટો ઘટાડો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">