આ ગામમાં મળતિયાઓને ફાયદો કરાવવા મતદાર યાદીમાં છબરડાનો આક્ષેપ! હાઇકોર્ટમાં અરજી

Panchmahal: રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખ જાહેર થતા પંચમહાલના ગ્રામ્યકક્ષાએ રાજકીય માહોલ ગરમાયો છે. ગોધરાના ભલાણીયામાં મતદાર યાદીમાં છબરડાનો આરોપ સામે આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 02, 2021 | 9:01 AM

Panchmahal: ગ્રામ પંચાયતોની ચૂંટણીની (Gram Panchayat Election) તારીખોની જાહેરાત સાથે જ પંચમહાલ જીલ્લાના ગ્રામ્યકક્ષાએ રાજકીય માહોલ ગરમાયો છે. ગોધરાના (Godhara) ભલાણીયા ગામમાં મતદાર યાદીમાં છબરડા થયા હોવાનો આક્ષેપ થયો છે. મતદાર યાદીમાં લગભગ 57 મતદારોને અલગ વોર્ડમાં મૂકી દેવાયાના આક્ષેપ થયા છે. સામાજિક કાર્યકર દ્વારા મામલતદાર, કોમ્પુટર ઓપરેટર, તલાટી અને BLO વિરુદ્ધ હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરી છે.

ગ્રામજનોનો આરોપ છે કે કુલ 50થી 60 મતદારોના ઘર નંબરો મનસ્વી રીતે બદલી દેવામાં આવ્યાં છે. આડેધડ ઘર નંબરો ગોઠવીને વોર્ડની યાદી બનાવવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. તો 14 મતદારોના ઘર હોવા છતાં પણ ઘર નંબરનો ઉલ્લેખ જ કરાયો નથી. મળતિયાઓને ચૂંટણીમાં ફાયદો કરાવવા માટે કૌભાંડ કરાયું હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યાં છે.

જણાવી દઈએ કે રાજ્ય ચૂંટણી પાંચ દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણી માટેની તારીખો જાહેર કરવામાં આવી છે. આ જાહેરાત અનુસાર 4 ડિસેમ્બર સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે. તો 6 ડિસેમ્બર સુધી ચૂંટણી ફોર્મની ચકાસણી થશે. EC અનુસાર 7 ડિસેમ્બર પરત ખેંચવાની છેલ્લી તારીખ રહેશે.

રાજ્યભરમાં તો 19 ડિસેમ્બર ના રોજ મતદાન થશે. જો જરૂર જણાય તો ફરીથી 20 ડિસેમ્બરે મતદાન કરવામાં આવશે. આ મતદાનની મતગણતરી 21 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયા 24 ડિસેમ્બરે પુન કરવામાં આવશે. ચૂંટણીની સમગ્ર મતદાનની વ્યવસ્થા માટે 17 પ્રાંત અધિકારીઓને જવાબદાર સોંપવાની માહિતી પણ સામે આવી છે.

 

આ પણ વાંચો: Big News: ખરાબ વાતાવરણમાં નવાબંદરની આશરે 13 થી 15 બોટ ડૂબી, 10થી 15 માછીમારો લાપતા

આ પણ વાંચો: નડિયાદ શહેરના કોંગ્રેસ પ્રમુખ અને એક નામચીન ડૉક્ટરની થઈ ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો

Follow Us:
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
g clip-path="url(#clip0_868_265)">