ભાજપમાં નારાજગીનો સૂર યથાવત, સાંસદ મનસુખ વસાવા નારાજગીના મેદાનમાં આવ્યાં
ભાજપમાં નારાજગીનો સૂર યથાવત છે. ત્યારે વધુ એક ભાજપના નેતાએ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે. હવે સાંસદ મનસુખ વસાવા નારાજગીના મેદાનમાં આવ્યાં છે. મનસુખ વસાવાએ આદિવાસી સમાજના હિત માટે સરકાર સામે બાંયો ચડાવી છે. સાથે જ અગાઉ નારાજગી વ્યક્ત કરી ચૂકેલા મધુ શ્રીવાસ્તવ અને કેતન ઈનામદારની વાતને પણ સમર્થન આપ્યું છે અને અધિકારીઓ ગાંઠતા […]
ભાજપમાં નારાજગીનો સૂર યથાવત છે. ત્યારે વધુ એક ભાજપના નેતાએ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે. હવે સાંસદ મનસુખ વસાવા નારાજગીના મેદાનમાં આવ્યાં છે. મનસુખ વસાવાએ આદિવાસી સમાજના હિત માટે સરકાર સામે બાંયો ચડાવી છે. સાથે જ અગાઉ નારાજગી વ્યક્ત કરી ચૂકેલા મધુ શ્રીવાસ્તવ અને કેતન ઈનામદારની વાતને પણ સમર્થન આપ્યું છે અને અધિકારીઓ ગાંઠતા નહીં હોવાનો સાંસદે આક્ષેપ કર્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
મનસુખ વસાવાએ ગાંધીનગરમાં ખોટા પ્રમાણપત્ર બાબતે બેઠેલા આદિવાસીઓને પણ સમર્થન આપ્યું છે અને નારાજગીનો સૂર વ્યક્ત કરતા કહ્યું કે આદિવાસીના નામનો ખોટો ઉપયોગ કરી સરકાર પર પ્રેસર થઈ રહ્યો છે. માટે સરકારના વહિવટી તંત્રને અમે ખુલ્લા પાડીશું.
આ માટે સાચા આદિવાસીઓના સમર્થનમાં નેતાઓ બહાર આવે. સરકાર કોઈપણ હોય જો આદિવાસીઓના હિતની વાત હશે તો હું બધા સામે લડી લઈશ. આમ એક બાદ એક નારાજગીમાં હવે વધુ એક ભાજપના નેતાનું નામ ઉમેરાયું છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: જામનગરના શાપર પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત! 4 વ્યક્તિનાં મોત