BHAVNAGAR: ભાજપના ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોએ સોશિયલ ડિસ્ટન્સના ઉડાડયા ધજાગરા
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની શનિવારે જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણીની જાહેરાત થતા જ આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની શનિવારે જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણીની જાહેરાત થતા જ આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવી છે.
ગુજરાતની 6 મહાનગરપાલિકાઓના કુલ 144 વોર્ડની 576 બેઠકો માટે 21 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે. 23 ફેબ્રુઆરીના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.
ભાવનગર (BHAVNAGAR) મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપમાં ચૂંટણી લડવા ઇચ્છુક લોકોની ભીડ જામી હતી. ભાવનગરમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો આગેવાન ભેગા થતાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સહિત કોરોના ગાઈડ લાઇનના ધજાગરા ઉડ્યા હતા. આ જોતાં લાગી રહ્યું હતું કે, કોરોના જેવી મહામારીનો નિયમ ફક્ત આમ જનતા માટે હોય છે તેવો ઘાટ જોવા મળ્યો હતો.