બિનસચિવાલય પરીક્ષા મામલે ઉમેદવારોની માગણી સ્વીકારી, SIT દ્વારા કરવામાં આવશે તપાસ
બિનસચિવાલયની પરીક્ષાને રદ કરવાનું આંદોલનના અનેક ઘટનાક્રમ બાદ રાજ્યના ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજા એ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે યુવાનોને અભિનંદન આપ્યા હતા. ધિરજતા પૂર્વક આંદોલનને ચલાવવા અને શાંતિપૂર્વ રજૂઆત કરવા બદલ અભિનંદન આપ્યા હતા. સાથે SITની રચના કરવામાં આવી છે. જેમાં SITના ચેરમેન રાજ્યના અગ્રણી સચિવ રહેશે. સાથે કહ્યું કે, યુવરાજસિંહ સહિતના […]
બિનસચિવાલયની પરીક્ષાને રદ કરવાનું આંદોલનના અનેક ઘટનાક્રમ બાદ રાજ્યના ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજા એ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે યુવાનોને અભિનંદન આપ્યા હતા. ધિરજતા પૂર્વક આંદોલનને ચલાવવા અને શાંતિપૂર્વ રજૂઆત કરવા બદલ અભિનંદન આપ્યા હતા. સાથે SITની રચના કરવામાં આવી છે. જેમાં SITના ચેરમેન રાજ્યના અગ્રણી સચિવ રહેશે. સાથે કહ્યું કે, યુવરાજસિંહ સહિતના નેતાઓ અને SIT વચ્ચે આવતીકાલે બેઠક યોજાશે. સાથે એ વાતનું પણ એલાન કર્યું કે, જ્યાં સુધી SITનો રીપોર્ટ નહીં આવે ત્યાં સુધી પરીક્ષાનું પરિણામ પણ જાહેર થશે નહીં.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો