ભૂમાફિયાઓના ત્રાસથી કંટાળીને ન્યાયની અપીલ સાથે ખેડૂતની સાયકલ યાત્રા, મુખ્યપ્રધાન વિજય રૂપાણીનાં કાર્યાલયે ફરિયાદ સાંભળી આપ્યા તપાસનાં આદેશ, ટીવી નાઈન બન્યું ખેડૂતની વ્યથા માટે વાચારૂપ
ભૂમાફિયાઓના ત્રાસથી કંટાળીને ન્યાયની અપીલ સાથે સાયકલ યાત્રા દ્વારા ગાંધીનગર આવેલા ખેડૂતને ન્યાય મળ્યો છે અને આ ન્યાય અપાવવામાં ટીવીનાઇને મહત્વની ભૂમિકા ભજવી છે. પોતાની લાખોની જમીન ભૂમાફિયાઓના હાથે ગુમાવનાર ગીરસોમનાથના સુત્રાપાડાના ખેડૂતની વ્યથા ટીવીનાઇને દર્શાવી હતી જેની નોંધ લેતા મુખ્યપ્રધાન કાર્યાલયે ખેડૂતની ફરિયાદ સાંભળી હતી અને ગીરસોમનાથ કલેક્ટરને સમગ્ર મામલે તપાસના આદેશ કર્યા હતા […]
ભૂમાફિયાઓના ત્રાસથી કંટાળીને ન્યાયની અપીલ સાથે સાયકલ યાત્રા દ્વારા ગાંધીનગર આવેલા ખેડૂતને ન્યાય મળ્યો છે અને આ ન્યાય અપાવવામાં ટીવીનાઇને મહત્વની ભૂમિકા ભજવી છે. પોતાની લાખોની જમીન ભૂમાફિયાઓના હાથે ગુમાવનાર ગીરસોમનાથના સુત્રાપાડાના ખેડૂતની વ્યથા ટીવીનાઇને દર્શાવી હતી જેની નોંધ લેતા મુખ્યપ્રધાન કાર્યાલયે ખેડૂતની ફરિયાદ સાંભળી હતી અને ગીરસોમનાથ કલેક્ટરને સમગ્ર મામલે તપાસના આદેશ કર્યા હતા સાથે જ એક સપ્તાહમાં રિપોર્ટ કરવા સૂચના આપી હતી. આમ ટીવીનાઇને ફરી એકવાર સામાજીક જવાબદારી અદા કરીને એક ખેડૂતને ન્યાય અપાવ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો