ભાવનગર શહેરમાં દસ વર્ષ બાદ રમેશભાઈ ઓઝાની કથા યોજાશે

કોરોના કાળના વીસ મહિના બાદ પ્રથમ કથા ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની કથા ભાવનગર શહેરમાં યોજવા જઈ રહી છે. ભાવનગર શહેરમાં દસ વર્ષ બાદ રમેશભાઈ ઓઝાની કથા યોજાશે,

ભાવનગર શહેરમાં દસ વર્ષ બાદ રમેશભાઈ ઓઝાની કથા યોજાશે
ભાગવત સપ્તાહ-ભાવનગર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2021 | 4:00 PM

ભાવનગર શહેર ખાતે આવતી તારીખ 28/11/2021ના રવિવારે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કથાનો પ્રારંભ થઇ રહ્યો છે. કથાના પ્રવક્તા પ્રખર ચિંતક, ભાગવતાચાર્ય પરમ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ના વ્યાસ સ્થાનેથી શરૂ થવા જઈ રહી છે. ચામુંડા માતાજીની અસીમ કૃપાથી અને પરમ પૂજ્ય નગાલાખા બાપાની અસિમ કૃપાથી,પ.પૂ.સંતશ્રી ઈશુબાપુ (બાવળીયાળી) ના આશીર્વાદથી અને પરમ પૂજ્ય સંત શ્રી ગાદીપતિ રામબાપુ બાવળીયાળી ની પ્રેરણાથી રાઠોડ પરિવારનાં પિતૃ મોક્ષાર્થે યજમાન શ્રી સુરેશભાઈ શેલાભાઈ રાઠોડ, શ્રી ગોવિંદભાઈ શેલાભાઈ રાઠોડ અને ભરતભાઈ શૈલાભાઈ રાઠોડના યજમાન પદે ભવ્ય ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલ છે.

સમગ્ર ભાગવત કથામાં આમંત્રિત મહેમાનો માટે કથાની અમૃતવાણી સાંભળવા માટે ઉતમ વ્યવસ્થા કરાઈ છે. કથા દરમિયાન પાવન પ્રસંગોની ઉજવણી થવાની છે. જેમાં પોથીયાત્રા તારીખ 28- 11- 2021 ને રવિવાર ના રોજ સવારે 08:00 કલાકે યજમાનશ્રીના નિવાસસ્થાનેથી કથા સ્થળ વિજયરાજનગર પ્રગતિ મંડળ ના મેદાન ખાતે જશે, તારીખ 1-12-2021 બુધવારના રોજ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થશે, તારીખ 2-12-2021 ના ગુરુવારના રોજ ગોવર્ધન પૂજા થશે, અને તારીખ 3-12 2021 શુક્રવારે રૂક્ષ્મણી વિવાહ યોજાશે અને તારીખ 4-12-2021 ના રોજ કથાની પૂર્ણાહુતિ થશે,

ભાવનગર શહેરના લોકો અને પરમ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના મુખેથી કથા સાંભળવા ઇચ્છતા તમામ લોકોને હાલમાં કોરોનાને લઈને એક જગ્યાએ એકત્રિત કરી શકાય તેમ ન હોય, માટે આપને ઘર બેઠા ભાગવત કથા નિહાળી શકાય તે માટે યજમાન રાઠોડ પરિવાર દ્વારા સંસ્કાર ચેનલ પર ડી-લાઈવ તારીખ 28-11-21 થી 4-12-21 સાત દિવસ સુધી બપોરે ૧ થી ૪ કલાકે નિહાળી શકશે, અને સાંદિપનીલાઈવ youtube ચેનલ પર સમગ્ર કથા શ્રોતાગણ ભક્તો સમગ્ર કથા નિહાળી શકશો, આમંત્રિત મહેમાનો માટે ભાગવત સપ્તાહ દરમિયાન મહાપ્રસાદનું દરરોજ બપોરે 1:00 કલાકે આયોજન કરાયેલ છે.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

સમગ્ર કથા દરમિયાન સરકારની કોવિડ-૧૯ ગાઈડ્વાઇનનું પાલન કરવામાં આવશે. કથા દરમિયાન સંતવાણી ડાયરાનું પણ આયોજન કરેલ છે, જેમાં તારીખ 29-11-2021 ને સોમવારના રોજ સાંજે 7:30 કલાકે મેરામણભાઇ ગઢવી (લોક સાહિત્યકાર) અને બીરજુ બારોટ (ગાયક કલાકાર) નો સંતવાણી ડાયરો યોજાશે, તારીખ 1-12-2021 ને બુધવારના રોજ સાંજે 7:30 કલાકે પદ્મશ્રી ભીખુદાન ભાઈ ગઢવી (લોક સાહિત્યકાર) અને પરેશ દાન ગઢવી (ગાયક કલાકાર) નો સંતવાણી ડાયરો યોજાશે, તારીખ 3-12-2021 ને શુક્રવાર સાંજે 7:30 કલાકે દેવાયતભાઈ ખવડ (લોક સાહિત્યકાર) તેમજ અન્ય કલાકારો સાથે સંતવાણી ડાયરો યોજાશે, સમગ્ર કથાને લઇને રાઠોડ પરિવાર, ભરવાડ સમાજ અને માલધારી સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમગ્ર કથા શાંતિપૂર્ણ યોજાઈ અને સરકારના નિયમો પ્રમાણે કોવિડ-19 ના નિયમોનું પાલન થાય તે માટે સ્વયંસેવકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવશે

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">