કથાકાર મોરારીબાપુનું સરકારને સૂચન, ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજીને મરણોત્તર ભારત રત્નનું સન્માન આપે

કથાકાર મોરારી બાપુ (Moraribapu) એ ભાવનગર (Bhavnagar) ના મહારાજાને મરણોત્તર ભારત રત્ન (Bharat Ratna) આપવા સુચન કર્યું છે. બાપુએ કહ્યું કે, આઝાદીનો અમૃત મહોત્સવ અને ભાવનગરનો જન્મદિવસ છે તે નિમિત્તે મારા મનમાં એક નમ્ર વિચાર જન્મે છે. જો કે હું કોઈ અપેક્ષા રહિત રહ્યોં છું અને રહેવા ઇચ્છું છું. પણ ભાવનગર રાજ્યના એક નાના ગામનાં […]

કથાકાર મોરારીબાપુનું સરકારને સૂચન,  ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજીને મરણોત્તર ભારત રત્નનું સન્માન આપે
Moraribapu suggestion to government to posthumously honor Bharat Ratna to Rajvaji Krishnakumar Singhji of Bhavnagar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 04, 2022 | 4:01 PM

કથાકાર મોરારી બાપુ (Moraribapu) એ ભાવનગર (Bhavnagar) ના મહારાજાને મરણોત્તર ભારત રત્ન (Bharat Ratna) આપવા સુચન કર્યું છે. બાપુએ કહ્યું કે, આઝાદીનો અમૃત મહોત્સવ અને ભાવનગરનો જન્મદિવસ છે તે નિમિત્તે મારા મનમાં એક નમ્ર વિચાર જન્મે છે. જો કે હું કોઈ અપેક્ષા રહિત રહ્યોં છું અને રહેવા ઇચ્છું છું. પણ ભાવનગર રાજ્યના એક નાના ગામનાં નિવાસી તરીકે હું ઈચ્છું કે ભાવનગરના એ મહારાજા સાહેબ કે જેમણે સમગ્ર દેશમાં સૌથી પહેલું પોતાનું રાજ્ય અર્પણ કરેલું. તેવા નેક દિલ નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીને મરણોત્તર ભારતરત્નથી સન્માનવા જોઈએ. એટલું જ નહીં તેમણે કહ્યું કે, ભાવનગરના એરપોર્ટને વિકસિત કરીને તેની સાથે મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું નામ જોડવું જોઈએ એવું નમ્ર સુચન છે.

ભાવનગરની ઓળખનો પર્યાય એટલે રાજવી કૃષ્ણકુમારસિંહ ગોહીલ. એક એવું રજવાડું,એક એવા રાજા, જેની ખમીરી અને ઉદારીના ઉદાહરણ આજે પણ ખંતથી ગવાય છે. ગોહીલાવડની દિલદારીથી સમગ્ર દેશ પરિચીત છે. ત્યારે કથાકાર મોરારી બાપુએ ભાવનગરના રાજાના કૃષ્ણકુમારસિંહજીને મરણોત્તર ભારત રત્ન આપવાની માગ કરી છે. ન માત્ર ભારત રત્ન પણ મહારાજાના નામથી ભાવનગર એરપોર્ટનું નામકરણ કરવાની પણ માગ કરી છે. મોરારી બાપુની માગ બાદ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના કાર્યો, બલિદાન અને દીલદારીને સમજવાનો પ્રયાસ કરીએ.

‘મારી પ્રજાનું કલ્યાણ થાઓ’ સૂત્ર કર્યું સાકાર

મહારાણી સાહેબા નંદકુંવરબાના કુખે જન્મેલા મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર રાજ્યના ૯મા મહારાજા હતા. મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ‘મારી પ્રજાનું કલ્યાણ થાઓ’ સૂત્ર પર પ્રજાલક્ષી કાર્યો ઉપરાંત ભાવનગર રાજ્યની ધારાસભા, ગ્રામ પંચાયતની રચના અને રાજ્ય વેરા વસૂલાત પધ્ધિતમાં સુધારા કર્યો હતો.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

અખંડ ભારતના નિર્માણમાં રજવાડાની આહૂતિ

અખંડ ભારતના નિર્માણ માટે રાજ્યોના વિલિનીકરણના મહાયજ્ઞામાં ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સૌપ્રથમ પુનિત આહૂતિ આપી રાષ્ટ્રના ચરણોમાં પોતાનું રજવાડું અર્પણ કર્યું હતું. રજવાડું રાષ્ટ્રને અર્પણ કર્યા બાદ તે જ વર્ષે મહારાજા કૃષ્ણકુમારસિંહજી મદ્રાસ પ્રાંતના પ્રથમ ગર્વનર બન્યા હતા. માસિક માત્ર ૧ રૃપિયાનું પ્રતિક માનદ્ વેતન સ્વીકારી તેઓએ ઈ.સ.૧૯૫૨ સુધી ગર્વનર તરીકે સેવા આપી હતી.

1965માં દેવલોક પામ્યા હતા પ્રજાવત્સલ રાજવી પ્રજાવત્સલ રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજી બીજી એપ્રિલ વર્ષ 1965માં દેવલોક પામ્યા હતા. જો કે, તેમણે કરેલા પ્રજાકલ્યાણના કાર્યો અવિસ્મરણીય અને આદરણીય છે. જેના પર ગોહિલવાડવાસીઓ આજે પણ ગર્વ અનુભવે છે. અને કદાચ એટલા માટે જ રાજાના નામને સન્માન મળે તેવી માગ પ્રજા કરી રહી છે.

મહારાજાને મળ્યા હતા અનેક સન્માન-ખિતાબ

  1. કીંગ જ્યોર્જ ચાર રજત જયંતી ચંદ્રક
  2. કીંગ જ્યોર્જ પાંચ કોરોનેશન ચંદ્રક
  3. ક્નાઈટ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઈન્ડિયા
  4. યુધ્ધ-રક્ષણ માટેનો ચંદ્રક
  5. ભારતની આઝાદી માટેનું ચંદ્રક
  6. હીઝ હાઈનેસ મહારાજા રાઓલ
  7. લેફ્ટનંટ હીઝ હાઈનેસ
  8. કેપ્ટન હીઝ હાઈનેસ
  9. લેફ્ટનંટ કર્નલ હીઝ હાઈનેસ
  10. કર્નલ હીઝ હાઈનેસ
  11. કમાન્ડર હીઝ હાઈનેસ

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">