વિદેશી બાદ હવે સ્વદેશી પ્રોડક્ટ પર બાબા રામદેવનો મોટો હુમલો, ‘કાયમચૂર્ણ’ને કહ્યું આંતરડાઓ માટે ઘાતક, જુઓ VIDEO
હવે યોગગુરુ બાબા રામદેવે સ્વદેશી કંપનીઓ સામે મોરચો ખોલ્યો છે. અત્યાર સુધી યોગ ગુરુ બાબા રામદેવના નિશાને વિદેશી કંપનીઓ હતી. ભારતમાં વિદેશી કંપનીઓના વેચાણના વિરોધમાં બાબા રામદેવ હાથ ધોઈને પાછળ પડી ગયા છે. પરંતુ હવે બાબા રામદેવે સ્વદેશની કંપનીને લઈને હુમલો કર્યો છે. અને એ પણ ગુજરાતની કંપની સામે બાબા રામદેવે કમેન્ટ કરી છે. નડિયાદના […]
હવે યોગગુરુ બાબા રામદેવે સ્વદેશી કંપનીઓ સામે મોરચો ખોલ્યો છે. અત્યાર સુધી યોગ ગુરુ બાબા રામદેવના નિશાને વિદેશી કંપનીઓ હતી.
ભારતમાં વિદેશી કંપનીઓના વેચાણના વિરોધમાં બાબા રામદેવ હાથ ધોઈને પાછળ પડી ગયા છે. પરંતુ હવે બાબા રામદેવે સ્વદેશની કંપનીને લઈને હુમલો કર્યો છે. અને એ પણ ગુજરાતની કંપની સામે બાબા રામદેવે કમેન્ટ કરી છે.
નડિયાદના સંતરામ મંદિરમાં યોગ ચિકિત્સા અને ધ્યાન શિબિરના કાર્યક્રમ દરમિયાન બાબા રામદેવે ભાવનગરની પ્રતિષ્ઠિત કંપની શેઠ બ્રધર્સ પર સવાલો ઉઠાવ્યા છે.
બાબા રામદેવે પેટના રોગોના નિરાકરણ માટે સલાહ આપતા કહ્યું,
“કાયમચૂર્ણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. કાયમચૂર્ણ લેવાથી આંતરડા ખરાબ થાય છે. તેમા સૂર્યમુખીના ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે જે આંતરડા માટે હાનિકારક છે.”
પેટના રોગો માટે કાયમચૂર્ણનો ઉપયોગ ન કરવા પણ બાબાએ લોકોને અપીલ કરી. ત્યાં સુધી કહી દીધું કે કબજીયાત માટે ત્રપ્યાચૂર્ણ અને શુદ્ધીચૂર્ણ લેવું યોગ્ય છે.
જુઓ VIDEO:
જોકે હજી સુધી બાબા રામદેવની આ કમેન્ટના જવાબમાં કાયમચૂર્ણ બનાવતી ભાવનગરની કંપની શેઠ બ્રધર્સ તરફથી કોઈ જવાબ નથી આવ્યો.
[yop_poll id=1197]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]