Bhavnagar : રખડતા ઢોરને લઈને પ્રજા ત્રાહિમામ, છતાં AAP અને ભાજપ રાજકીય શિંગડા ભરાવવામાં મસ્ત
આમ આદમી પાર્ટીના (AAP) નેતાઓ ભલે પોતાને ગમતા તર્ક આપે, પરંતુ ભાવનગરની પ્રજા અને પશુપાલકોમાં AAP ના કૃત્યને લઈ ચોક્કસ નારાજગી છે.
ભાવનગરના (Bhavnagar) અનેક વિસ્તારોમાં રખડતા ઢોરના (Stray cattle) ત્રાસથી પ્રજા પરેશાન છે.અકસ્માતના (Accident) સંખ્યાબંધ કેસ બને છે.આ રખડતી રંજાડને લઈને આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે રાજકીય ગરમાવો વધ્યો છે. ભારે વરસાદ દરમિયાન મનપા (Bhavnagar Municipal Corporation) સંચાલિત પાંજરાપોળમાં ચારથી પાંચ ગાયના મોત થયા.તો આપના કાર્યકરોએ પાંજરાપોળમાંથી 700 ઢોરને મુક્ત કરી દીધા. ભાવનગરના માર્ગો પર મોટી સંખ્યામાં રખડતા ઢોર જોવા મળે છે.
સમગ્ર મુદ્દે AAP નો અલગ તર્ક જોવા મળ્યો
સત્તાપક્ષ વધુ માત્રામાં પશુઓને પાંજરે પૂરવાના માત્ર દાવા કરે છે.બીજી તરફ થોડા ઘણા પાંજરે પુરાયેલા પશુઓને (Cattle) પણ AAP એ મુક્ત કરતા સમસ્યા વકરવાનો અંદાજ છે,જો કે સમગ્ર મુદ્દે આપનો અલગ તર્ક જોવા મળ્યો.
પાંજરાપોળમાં સચવાતા પશુના હવે રસ્તા પર ભોજન માટે વલખા !
આમ આદમી પાર્ટીના (AAP) નેતાઓ ભલે પોતાને ગમતા તર્ક આપે, પરંતુ ભાવનગરની પ્રજા અને પશુપાલકોમાં આપના કૃત્યને લઈ ચોક્કસ નારાજગી છે.પાંજરાપોળમાં સચવાતા પશુ હવે રસ્તા પર ભોજન માટે વલખા મારતા જોવા મળે છે.ભાવનગરના સ્ટેન્ડિંગ કમિટી (Standing committee) ચેરમેને કહ્યું કે પશુઓને છોડનારા દોષિતો સામે કાયદાકીય કાર્યવાહી કરાશે.તો બીજી તરફ રખડતા પશુઓને ફરી ડબ્બે પુરીને પાંજરપોળમાં પણ સુવિધાઓ વધારવામાં આવશે.