Bhavnagar: પ્રજ્ઞાચક્ષુ બાળકોએ મનની આંખોથી બનાવી કલાત્મક રાખડીઓ
ભાવનગરમાં (Bhavnagar) પ્રજ્ઞાચક્ષુ બાળકો કે જેમની આંખ નહીં હોવા છતાં, મનની આંખોથી રાખડી બનાવવાનું કામ કરી રહ્યાં છે અને ખરા અર્થમાં આત્મનિર્ભર બની સમાજને પણ એક નવો રાહ ચીંધી રહ્યા છે.
રક્ષાબંધનનું (Rakshabandhan) પર્વ નજીક છે ત્યારે બજારોમાં અવનવી રાખડીઓ (Rakhi) મળી રહી છે ત્યારે ભાવનગરમાં (Bhavnagar) પણ પ્રજ્ઞાચક્ષુ બાળકોએ મનની આંખોથી રાખડી બનાવી હતી. પ્રજ્ઞાચક્ષુ બાળકો કે જેમની આંખ નહીં હોવા છતાં, મનની આંખોથી રાખડી બનાવવાનું કામ કરી રહ્યાં છે અને ખરા અર્થમાં આત્મનિર્ભર બની સમાજને પણ એક નવો રાહ ચીંધી રહ્યા છે. ભાવનગરની શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના પ્રજ્ઞાચક્ષુ બાળકોએ ગણપતિ, મોર, ઓમ આકાર સહિતની અવનવી પેટર્ન વાળી રાખડીઓ બનાવી છે, જેને ખરીદવા મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે.
અંધ ઉદ્યોગ શાળા દ્વારા આ રાખડીને વેચાણમાં મુકવામાં આવેલ છે. લોકો પણ અંધ બાળકોને પ્રોત્સાહિત કરવા અવનવી રાખડીઓ હોંશે હોંશે ખરીદી રહ્યા છે. ભાવનગર શહેરના વિદ્યાનગર ખાતે આવેલી શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉધોગ શાળા ખાતે પ્રજ્ઞાચક્ષુ બાળકો દીકરીઓ દ્વારા આગામી રક્ષાબંધનના તહેવારને લઈને અવનવી અને કલાત્મક રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છે. ભારતીય સંસ્કૃતિમાં રક્ષાબંધનના પવિત્ર પર્વનું વિશિષ્ટ મહત્વ રહ્યું છે.
પ્રજ્ઞાચક્ષુ બાળકોએ બનાવી કલાત્મક રાખડીઓ
રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પ્રેમનું પ્રતિક છે. આ દિવસે ભાઈ પોતાની બહેન પાસે રાખડી બંધાવે છે. ભાઈ પોતાની બહેનની રક્ષા માટે પ્રણ લે છે. રક્ષાબંધનનો તહેવાર ભારતમાં ખૂબ ધૂમધામ સાથે મનાવામાં આવે છે. અવનવી અને કલાત્મક રાખડીઓ તૈયાર કરવામાં આવી ભાવનગર શહેરના વિદ્યાનગર ખાતે આવેલી અંધ ઉદ્યોગ શાળા ખાતે પ્રજ્ઞાચક્ષુ બાળકો દ્વારા આગામી રક્ષાબંધનના તહેવારને લઈને અવનવી અને કલાત્મક રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છે.
જેમાં ગણપતિ, મોર, ઓમ આકાર, ચેક્સ તથા ચોરસ સહિતની અવનવી પેટર્ન વાળી રાખડીઓ વિદ્યાર્થીનીઓ બનાવી રહી છે, અંધ ઉદ્યોગ શાળા ખાતે એવા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે કે જે નોર્મલ નથી હોતા અને આ વિદ્યાર્થીઓને એક વર્ષથી 18 વર્ષ સુધી શાળા ખાતે વિનામૂલ્યે અભ્યાસ સાથે વિવિધ પ્રવૃત્તિઓ પણ શીખવાડવામાં આવે છે.
શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા ભાવનગરનાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ દ્વારા અનેક હેન્ડીક્રાફટની ચીજવસ્તુઓ તૈયાર કરવામાં આવે છે જેમાં માટીનાં ગરબા, કોડિયા, તોરણ, મીણબત્તી, અગરબત્તી ઉપરાંત ચાલુ વર્ષે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ દ્વારા રૂ. 5 થી 40 સુધીની કિંમતની કલાત્મક રાખડીઓ તજજ્ઞના માર્ગદર્શન નીચે તૈયાર કરવામાં આવી છે.
રાખડી બનાવવા માટે અલગ અલગ મટીરીયલ જેમાં પેન્ડલ, દોરી, મોતી વગેરે જુદા જુદા સ્થળેથી એકત્ર કરી પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ રાખડી બનાવે છે. રાખડી બનાવવાનો હેતુ ભવિષ્યમાં પોતે પગભર થઇ સમાજમાં પ્રસ્થાપિત થઇ શકે તેવો છે. રાખડીઓ ખરીદવા માટે વિદ્યાનગર ખાતે આવેલા કૃષણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા તેમજ બહારગામ માટે ઓર્ડર પણ લેવામાં આવે છે.