Bhavnagar: ઘોઘા જેટી પર 3 નંબરનું સિગ્નલ, તોફાની મોજા ગામમાં ધસી આવે તેવી શકયતા
ભારે વરસાદને પગલે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે તો બીજી તરફ પોર્ટ (Port) પર લગાવાયું 3 નંબરનું સિગ્નલ લાગવવામાં આવ્યુ છે.
અરબી સમુદ્રમાં હાલમાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભાવનગરમાં (Bhavnagar) ઘોઘાનો દરિયો ગાંડોતૂર જોવા મળ્યો હતો. ઘોઘાના (Ghogha) દરિયાકિનારે સામાન્ય કરતાં 4 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા. હાલમાં સૌરાષ્ટ્રના તમામ દરિયાકાંઠે ત્રણ નંબરનું સિગ્નલ લગાડેલું જોવા મળી રહ્યું છે તો ઘોઘામાં તોફાની મોજા ઉછળવાને કારણે પ્રોટેક્શન વોલની ઉપર થઈને (Arebian Sea) પાણી અંદર આવી રહ્યા છે હાલમાં સ્થાનિકોને ભય છે કે આ પાણી ઘોઘા ગામમાં પણ ઘૂસી શકે છે.
ગુજરાતમાં (Gujarat) આગામી ત્રણ દિવસ ભારે વરસાદની(Rain) આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સક્રિય થતાં ગાજવીજ સાથે વરસાદની (Monsoon 2022) સંભાવના સેવાઈ રહી છે. તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં (Saurashtra-kutch) અતિભારે વરસાદ પડી શકે છે. તો ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની (heavy rain) આગાહી હવામાન વિભાગ (IMD) દ્વારા કરવામાં આવી છે તો સૌરાષ્ટના દરિયાકાંઠા વિસ્તારોમાં અતિભારે વરસાદી આગાહી છે. ભારે વરસાદને પગલે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે તો બીજી તરફ પોર્ટ (Port) પર લગાવાયું 3 નંબરનું સિગ્નલ લાગવવામાં આવ્યુ છે.
જાફરાબાદના દરિયાકાંઠે પણ 3 નંબરનું સિગ્નલ
રાજ્યમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી છે, ત્યારે સૌરાષ્ટ્રના (Saurashtra) દરિયાકાંઠે ભારે પવન અને સૌરાષ્ટ્રના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો, તેને પગલે બે દિવસથી અમરેલી-જાફરાબાદ બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું હતું. હાલમાં જાફરાબાદના (Jafrabad) દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દરિયામાં જોવા મળેલા કરંટને પગલે મહારાષ્ટ્રની 20 જેટલી બોટ (Boat) જાફરાબાદના દરિયાકિનારે લાંગરી દેવામાં આવી હતી.
મહારાષ્ટ્રની બોટ જાફરાબાદમાં લાંગરવામાં આવી
દરિયામાં કરંટ જોવા મળતા મહારાષ્ટ્રની 20 જેટલી બોટ જાફરાબાદના કિનારે પહોંચી હતી તો જાફરાબાદની માછીમારી કરવા દરિયામાં ગયેલી બોટો રાત સુધીમાં દરિયાકાંઠે પહોંંચશે. મહારાષ્ટ્રની વધુ 50 જેટલી બોટ પણ જાફરાબાદના દરિયાકાંઠે લાંગરાશે. દરિયામાં તોફાનની શક્યતાઓને ધ્યાને લઈને બોટો કિનારા તરફ આવતી થઈ છે. જાફરાબાદ બંદર પર 500 ઉપરાંતની બોટોના થયા ખડકલા થયા છે.