Bhavnagar જિલ્લા પંચાયતની સામાન્ય સભામા તાઉતે વાવાઝોડાના સર્વેમાં ખેડૂતોને અન્યાયનો મુદ્દો ઉછળ્યો

ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખે એમ પણ કહ્યું હતું કે ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતો સાથે રાગદ્વેષ રાખવામાં આવે છે. આ મામલે તેમને નોટિસ આપતો ઠરાવ સર્વાનુમતે કરી સરકારમાં મોકલવામાં આવશે

Bhavnagar જિલ્લા પંચાયતની સામાન્ય સભામા તાઉતે વાવાઝોડાના સર્વેમાં ખેડૂતોને અન્યાયનો મુદ્દો ઉછળ્યો
Bhavnagar District Panchayat General Meeting Raise Issues of Injustice to Farmers in Tauktae Survey
Follow Us:
Ajit Gadhavi
| Edited By: | Updated on: Sep 02, 2021 | 9:39 PM

ભાવનગર જિલ્લા પંચાયતની ગુરુવારે મળેલી સામાન્ય સભામાં શાસક પક્ષ ભાજપે અને ખુદ જિલ્લા પંચાયત પ્રમુખે જાણે કે વિપક્ષ ની ભૂમિકા ભજવી હોઈ તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ સભામાં સભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્નોના જવાબ અપૂરતા મળતા હોવાની વાત ખુદ જિલ્લા પંચાયત પ્રમુખે સ્વીકારી અધિકારીઓને આડે હાથ લીધા હતા અને કહ્યું હતું કે સભ્યોને જવાબ યોગ્ય મળવા જોઈએ જિલ્લા પંચાયત માં આમ નહીં ચલાવી લેવાય.

જ્યારે પ્રમુખે એમ પણ કહ્યું હતું કે ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતો સાથે રાગદ્વેષ રાખવામાં આવે છે. આ મામલે તેમને નોટિસ આપતો ઠરાવ સર્વાનુમતે કરી સરકારમાં મોકલવામાં આવશે આમ આજની સભામાં શાસક અને વિપક્ષ બન્ને મળી અધિકારીઓ ઉપર વરસ્યા હતા. જયારે પ્રમુખે પણ સ્વીકાર્યું હતું કે ખેડૂતો પાયમાલ થયા છે.

ભાવનગર જિલ્લા પંચાયતની મળેલી સામાન્ય સભામાં કોંગ્રેસ અને ભાજપ બંને પાર્ટીના સભ્યો અધિકારીઓ પર વરસ્યા હતા, આ સભામાં અધિકારીઓ દ્વારા અપાતા અપૂરતા જવાબ અને ઢીલી કામગીરી સામે ખુદ જિલ્લા પંચાયત પ્રમુખ પણ રોષે ભરાયા હતા.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

જિલ્લા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ ભરતસિંહ ગોહિલની અધ્યક્ષ સ્થાને મળી હતી. આ સભામાં સભ્યો દ્વારા પુછાયેલા પ્રશ્નોના જવાબ અપૂરતા મળતા સભ્યો રોષે ભરાઈ તેની રજુઆત અધ્યક્ષને કરતા ખુદ અધ્યક્ષ પણ અકળાઈ ઉઠયા હતા. જિલ્લા પંચાયતની બિલ્ડીંગોની સંખ્યા તેમજ તાઉતે વાવાઝોડામાં સર્વેમાં ખેડૂતોને થયેલ અન્યાય તેમજ આરોગ્ય વિભાગમાં ખરીદીના મુદ્દામાં ભારે ગરમ ગરમી જોવા મળી હતી.

જિલ્લા પંચાયત પ્રમુખે પણ સ્વીકાર્યું હતું કે વાવાઝોડાના સમયમાં ખેડૂત પાયમાલ થઇ ગયો છે. પ્રમુખ એ ખેતીવાડી અધિકારી જવાબ આપતા હતા ત્યારે કહ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને સહાય આપવા તૈયાર છે તો તમને વાંધો શો છે પ્રમુખે એમ પણ કહ્યું હતું કે તમે ખેડૂત સાથે રાગદ્વેષ રાખો છો. તમારી વિરુદ્ધ ઠરાવ કરી તમને નોટિસ આપવા અમે સરકારમાં મોકલીશું આ મુદ્દો સભામાં ચર્ચાનો વિષય બન્યો હતો.

સામાન્ય સભામાં કોંગ્રેસના સભ્યો એ પણ પોતાને પૂરતા જવાબો અધિકારી દ્વારા અપાતા નથી તેમ પણ રજુઆત કરી હતી કોંગ્રેસના સભ્યો એક તબક્કે ડાયસ ઉપર ઘસી ગયા હતા અને આખરે વિપક્ષના નેતાએ મામલો થાળે પાડયો હતો. રસ્તાના કામોમાં ભ્રષ્ટાચાર અને કામ સારી ગુણવતા વાળા નથી થતાં. તેથી વિપક્ષના નેતાએ ચીમકી આપી છે કે તેમાં યોગ્ય પગલાં નહીં લેવાય તો ધરણા કરવામાં આવશે.

કોંગ્રેસનું પણ કહેવું છે કે જિલ્લા પંચાયત ના પ્રમુખ જો ખુદ સ્વીકારતા હોઈ કે ખેડૂતો ને અન્યાય થયો છે તો પછી અમારે કઈ બોલવા જેવું જ રહ્યું નથી અને ખેડૂત પાયમાલ થઇ ગયો છે તે વાત સાચી છે.

આ પણ વાંચો : Gujarat 12માં ડિફેન્સ એક્સપો-2022 નું યજમાન રાજ્ય બનશે

આ પણ વાંચો : સોલા સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળકીના અપહરણની પોલીસે તપાસ હાથ ધરી, પીએનસી વોર્ડના સીસીટીવી બંધ હાલતમાં મળ્યા

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">