BHAVNAGAR: મહુવામાં ભંગારના ડેલામાં લાગી આગ, કોઈ જાનહાનિ નહીં
ભાવનગર જિલ્લાના મહુવામાં સાવરકુંડલા રોડ ઉપર આવેલ ભંગારના ડેલામાં આગ લાગી હતી. ભંગારના ડેલામાં લાગેલી આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
BHAVNAGAR: ભાવનગર જિલ્લાના મહુવામાં સાવરકુંડલા રોડ ઉપર આવેલ ભંગારના ડેલામાં આગ લાગી હતી. ભંગારના ડેલામાં લાગેલી આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. વિકરાળ બનેલી આગ બાજુમાં આવેલા અન્ય એક ગોડાઉનમાં પણ પ્રસરી હતી. ઘટનાની જાણ થતાં નગરપાલિકાના ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો. આગની ઘટનામાં સદનસીબે જાનહાનિ થઈ નથી.
આ પણ વાંચો: રસીકરણનો બીજો તબક્કો: 60 વર્ષથી ઉપરના સિનિયર સિટીજનોને વેક્સિન લેવા મુખ્યમંત્રીની અપીલ
Latest Videos
Latest News