Bhavnagar: મ્યુકોરમાઇકોસિસની સારવાર માટે અલાયદો વોર્ડ

Bhavnagar : એક બાજુ કોરોનાની મહામારી શાંત પડી રહી છે. છેલ્લા થોડા દિવસથી કોરોના સંક્રમિત લોકોની સંખ્યા કરતા સાજા થતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. આ વચ્ચે મ્યુકોરમાઇકોસિસ બીમારીએ ભરડો લીધો છે.

Charmi Katira
| Edited By: | Updated on: May 11, 2021 | 11:47 AM

Bhavnagar : એક બાજુ કોરોનાની મહામારી શાંત પડી રહી છે. છેલ્લા થોડા દિવસથી કોરોના સંક્રમિત લોકોની સંખ્યા કરતા સાજા થતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. આ વચ્ચે મ્યુકોરમાઇકોસિસ બીમારીએ ભરડો લીધો છે.

કોરોના બાદ હવે મ્યુકોરમાઈસિસનો ચેપ ફેલાતા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં અલગ વોર્ડની રચના કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ આ નિર્ણય કરતા ભાવનગર સર.ટી હોસ્પિટલ ખાતે અલગ વોર્ડ શરૂ કરવામાં આવેલ છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલ માં 60 પથારીના અલગ અલગ વોર્ડની રચના કરવામાં આવી છે.

તેવી જ રીતે ભાવનગરમાં પણ વોર્ડ શરૂ કરાતા ભાવનગર માં સર.ટી.હોસ્પિટલ માં હાલ આ વોર્ડ માં મ્યુકોરમાઈસિસ ના 3 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. હજુ દર્દીઓ આવે તો તેના માટે પૂરતી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ભાવનગરમાં ખાનગી અને સરકારી હોસ્પિટલમાં એક અનુમાન પ્રમાણે વીસેક દર્દીઓ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. ત્યારે હાલમાં આડેધડ કોરોનાની સારવાર દરમિયાન સ્ટીરોઇડ ના ઉપયોગને લઈને મ્યુકોરમાઈસિસ આવ્યો હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">