Bhavnagar : ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ શરૂ, 36 વર્ષથી એક જ હરિભક્ત તૈયાર કરે છે ભગવાનના વાઘા

ભાવનગર ખાતે 36 મી રથયાત્રાના આયોજનની તૈયારીઓ થઈ રહી છે.જેમાં ભગવાનના વાઘાને લઇને પણ સવિશેષ તૈયારી કરવામાં આવી રહી છે.

Bhavnagar : ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ શરૂ, 36 વર્ષથી એક જ હરિભક્ત તૈયાર કરે છે ભગવાનના વાઘા
ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ શરૂ
Follow Us:
Ajit Gadhavi
| Edited By: | Updated on: Jul 04, 2021 | 11:35 PM

ગુજરાતના કોરોનાની બીજી લહેરમાં કેસમાં  ઘટાડા બાદ અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં અનેક સ્થળોએ અષાઢી બીજના રોજ નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા(Rathyatra) ને લઇને ભક્તોમાં ઉત્સાહ છે. તેમજ અમદાવાદ સહિત રાજ્યમાં અનેક સ્થળોએ નીકળતી રથયાત્રાને સરકાર મંજૂરી આપશે તેવી આશા પણ વ્યક્ત કરી રહ્યા છે.જો કે તેના પગલે ભાવનગર(Bhavnagar) ખાતે 36 મી રથયાત્રાના આયોજનની તૈયારીઓ થઈ રહી છે.

ભગવાનના વાઘાને લઇને પણ સવિશેષ તૈયારી કરવામાં આવી

ભાવનગરમાં ગયા વર્ષે કોરોનાને લઈને રથયાત્રા નીકળી ન હતી. જ્યારે હાલમાં કોરોનાની ગતિ મંદ પડતા રાજ્ય સરકારની મંજૂરીની અપેક્ષાએ પ્રમાણે રથયાત્રા ના આયોજનની તૈયારીઓ થઈ રહી છે. જેમાં ભગવાનના વાઘાને લઇને પણ સવિશેષ તૈયારી કરવામાં આવી રહી છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

ભગવાનને ખાસ તૈયાર કરેલા વાઘા સાથે જોવાનો  લ્હાવો

ભાવનગર જ્યારથી રથયાત્રા(Rathyatra) શરૂ થઈ ત્યારથી હરજીવનભાઈ દાણીધારીયા નામના ભક્ત ભગવાન જગન્નાથના વાઘા રથયાત્રા માટે ખાસ તૈયાર કરેલ છે. ખાસ સિલ્ક ના કાપડમાંથી ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા ના રંગબેરંગી અને ચમક દમક વાળા ખાસ વાઘા તૈયાર થઇ ચુક્યા છે. રથયાત્રાના દિવસે ભગવાન જગનાનાથને આ વસ્ત્રો પહેરાવી શહેરના રાજમાર્ગો પર લોકોના દર્શન માટે રથયાત્રા પસાર કરાશે, આ દિવસે ભગવાનના દર્શન અને ખાસ કરીને ભગવાનને ખાસ તૈયાર કરેલા વાઘા સાથે જોવાનો એક લ્હાવો છે.

સંપૂર્ણ કોવિડ ની ગાઈડ લાઈનનું પાલન કરવામાં આવશે

ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને રથ સહિત તમામ પ્રકારની તૈયારીઓ શરૂ છે. ત્યારે રથયાત્રા સમિતિ ના પ્રમુખ હરુભાઈ ગોંડલીયાના જણાવ્યા પ્રમાણે ગયા વર્ષે કોરોનાને લઈને રથયાત્રા નહોતી  કાઢી શક્યા પરંતુ જો રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવશે તો માત્ર રથ અને સાથે 4 થી 5 વાહનો સાથે ભગવાનની જગન્નાથની રથયાત્રાના આયોજનની ગણતરી છે પરંતુ હવે સરકારની મંજુરી પણ એટલીજ મહત્વની છે અને જો મંજુરી આપવામાં આવશે તો સંપૂર્ણ કોવિડની ગાઈડ લાઈનનું પાલન કરવામાં આવશે,

આ પણ વાંચો : Monsoon Update : આ રાજ્યોમાં 11 જુલાઇ સુધી પહોંચી શકે છે ચોમાસુ, દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ફરી સક્રિય થવાના સંકેત

આ પણ વાંચો : Odisha : યાત્રાધામ જગન્નાથ પુરી ખાતે ટૂંક સમયમાં બનશે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, લોકો વર્ષ 2022-23 થી લાભ લઈ શકશે

Latest News Updates

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">