દબાણની ફરિયાદ તંત્ર ધ્યાને ન લેતા રહીશની સ્વતંત્ર પર્વની ઉજવણી દરમ્યાન આત્મવલોપનની ચીમકી, પોલીસે અટકાયત કરી

60 વર્ષીય અશોકભાઇ વસંતલાલ મહેતાએ સરકારના અલગ - અલગ વિભાગોમાં અરજી કરતા જણાવ્યું છે કે તંત્રને શ્રવણ ત્રણ રસ્તા નજીક ગેરકાયદેસર રીતે કરાયેલા દબાણ દુર કરવા માટે તેણે વારંવાર અરજીઓ કરી છે.

દબાણની ફરિયાદ તંત્ર ધ્યાને ન લેતા રહીશની સ્વતંત્ર પર્વની ઉજવણી દરમ્યાન આત્મવલોપનની ચીમકી, પોલીસે અટકાયત કરી
Ashok Mehta who threatened suicide
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2022 | 12:12 PM

ભરૂચ(Bharuch)માં એક 60 વર્ષીય વ્યક્તિએ સ્વતંત્ર પર્વની ઉજવણી દરમ્યાન આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી તંત્રને દોડતું કર્યું છે. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે અશોક મહેતા નામના આ વ્યક્તિની અટકાયત કરી મામલો થાળે પાડવા સમજાવટ અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી સહિતના પ્રયાસ હાથ ધર્યા છે ભરૂચના શ્રવણ ત્રણ રસ્તા નજીક દબાણ દૂર કરવા મામલે તંત્ર રસ ન લેતું હોવાના આક્ષેપ સાથે આ વ્યક્તિએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. ન્યાય ન મળે તો 15 ઓગસ્ટ સરકારી કાર્યક્રમ દરમ્યાન તેણે આમવિલોપન કરી નાખવાની ચીમકી આપી છે.

60 વર્ષીય અશોકભાઇ વસંતલાલ મહેતાએ સરકારના અલગ – અલગ વિભાગોમાં અરજી કરતા જણાવ્યું છે કે તંત્રને શ્રવણ ત્રણ રસ્તા નજીક ગેરકાયદેસર રીતે કરાયેલા દબાણ દુર કરવા માટે તેણે વારંવાર અરજીઓ કરી છે. તારીખ 15 ઓગસ્ટ 2022 પહેલા આ દબાણો દૂર કરવા બાબતે કોઇ નક્કર પગલાં લેવામાં નહીં આવે તો તે સરકારી કાર્યક્રમ વચ્ચે આત્મવિલોપન કરી લેશે. અરજીમાં જણાવ્યા અનુસાર 9 મીટરના રસ્તા ઉપર દબાણના  કારણે સોસાયટીનો આવવા જવાનો રસ્તો  3 મીટરનો થઇ ગયો છે. આ ઉપરાંત નજીકમાં આવેલા કોમ્પ્લેક્ષમા ગેરકાયદેસર રીતે દબાણ કરી સીડી બાંધી દેવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ ગેરકાયદેસર દબાણો દુર કરવા માટે અરજદારે સંબંધિત કચેરીઓમાં અવાર – નવાર રજુઆત કરતા બૌડા કચેરી ભરૂચ દ્વારા  દબાણ દુર કરવામા આવેલ હતા. જોકે થોડા દિવસ બાદ ફરીથી દબાણ કરવામાં આવ્યું હોવાના અને ફરી રજુઆત કરવામાં આવતા કેસ કરી મામલો દબાવી દેવા મજબુર કરતા હોવાનો અશોકભાઈએ આક્ષેપ કર્યો છે.

દબાણ દૂર કરવા માટે સરકારી કચેરીઓમા રજુઆત કરવા છતા કોઇ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી એડીશનલ ચીફ ટાઉન પ્લાનર સાહેબનાઓને મુલાકાત માટેનો સમય માંગ્યો હતો પરંતુ તેઓ તરફથી પણ સમય આપવામાં ન આવતા કંટાળી અશોક મહેતાએ તા .૧૫ / ૦૮ / ૨૦૨૨ પહેલા દબાણ દુર કરવા કે આ બાબતે કાયદેસરની કોઇ કાર્યવાહી કરવામા નહી આવે તો સ્વતંત્ર પર્વના સરકારી કાર્યક્રમ વચ્ચે આત્મવિલોપન કરવાની ચીમકી આપી છે.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

સરકારી કાર્યક્રમમાં આત્મવિલોપનની ચીમકીના પગલે તંત્ર દોડતું થયું છે. ભરૂચ શહર એ ડિવિઝન પોલીસે અશોક મહેતાની અટકાયત કરી હતી. મામલો થાળે પાડવા અરજદારને સમજાવવાથી લઈ તે આત્મવિલોપન ન કરે તે માટે બાંહેધરી લખાવવા સહિતની કાર્યવાહી કરાવવામાં આવી છે.

Latest News Updates

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
g clip-path="url(#clip0_868_265)">