અંકલેશ્વરના અવાદર ગામે દિપડાએ ૩ પશુઓનુ મારણ કરતા પાંજરા ગોઠવાયા
ભરૂચ જિલ્લામાં દીપડાની વધતી જતી વસ્તીના કારણે દીપડા વનવિસ્તાર છોડી જંગલને અડીને આવેલ ગામોમાં ઘુસી રહ્યા છે. અંકલેશ્વરના અવદર ગામમાં ઘુસી આવેલા એક દીપડાએ એકજ રાતમાં ત્રણ પશુઓના શિકાર કરતા વનવિભાગે ગામમાં પાંજરા ગોઠવ્યા છે.એકજ રાતમાં બે વાર દીપડો ગામમાં ઘુસ્તા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. અવદર ગામના ખેડૂત કાંતિભાઈ પટેલના ખેતરમાં રાતે ૩ વાગ્યાના […]
ભરૂચ જિલ્લામાં દીપડાની વધતી જતી વસ્તીના કારણે દીપડા વનવિસ્તાર છોડી જંગલને અડીને આવેલ ગામોમાં ઘુસી રહ્યા છે. અંકલેશ્વરના અવદર ગામમાં ઘુસી આવેલા એક દીપડાએ એકજ રાતમાં ત્રણ પશુઓના શિકાર કરતા વનવિભાગે ગામમાં પાંજરા ગોઠવ્યા છે.એકજ રાતમાં બે વાર દીપડો ગામમાં ઘુસ્તા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
અવદર ગામના ખેડૂત કાંતિભાઈ પટેલના ખેતરમાં રાતે ૩ વાગ્યાના અરસામાં પશુઓનો અવાજ આવવા લગતા કાંતિભાઈ લાઈટ ચાલુ કરી તપાસ કરતા વાડામાં દીપડો નજરે પડ્યો હતો જે પશુઓ ઉપર હુમલા કરી રહ્યો હતો. ખેડૂત બૂમો પાડી અવાજ કરતા દીપડો નાસી છૂટ્યો હતો. તપાસ કરતા ત્રણ પશુઓનું મારાં થયું હતું.
ઘટનાની જાણ વનવિભાગને કરવામાં આવતા આજે ટિમ ઘટનાસ્થળે પહોંચી હતી. દીપડાએ બે એકજ રાતમાં વખત શિકાર માટે હુમલો કર્યો હતો. ઘટનાના પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. વનવિભાગે ગામની સીમમાં પિંજરા ગોઠવી દીપડાને ઝડપી પાડવા પ્રયાસ હાથ ધર્યા છે.
આ પણ વાંચોઃગાંધીનગર શુભારંભ કન્સ્ટ્રકશન સાઈટ પર ભેખડ ધસી પડતા એક કામદારનું મોત
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો