પહેલા તિરાડો પડી .. પછી જમીન ધસી અને હવે ધરાશાયી થઈ રહ્યા છે બાંધકામ… ગુજરાતમાં આ સ્થળે જોશીમઠની ઘટનાઓનું થઈ રહ્યું છે પુનરાવર્તન

જીઆઇડીસીને પાણી પહોંચાડવા ૩ દાયકા પૂર્વે બનાવાયેલ ઝઘડિયાનું પંપ હાઉસ અને પાંચ વર્ષ પહેલા ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા 70 ગામોના 96 હજાર લોકોને પીવાનું પાણી પૂરું પાડવા બનાવાયેલ પંપ હાઉસને પણ નુકસાન થયું છે .પાણી પુરવઠાના પમ્પ હાઉસના કોલમ ત્રાંસા થઈ ગયા છે.

પહેલા તિરાડો પડી .. પછી જમીન ધસી અને હવે ધરાશાયી થઈ રહ્યા છે બાંધકામ... ગુજરાતમાં આ સ્થળે જોશીમઠની ઘટનાઓનું થઈ રહ્યું છે પુનરાવર્તન
An incident like Joshimath also came to light in Gujarat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 31, 2023 | 8:20 PM

બદ્રીનાથ નજીક આવેલ જોશીમઠ હાલ ચર્ચાના કેન્દ્ર સ્થાને છે. જોશી મઠમાં ભૂસ્ખલનને કારણે સેંકડો ઈમારતોમાં મોટી તિરાડો પડી ગઈ છે અત્યાર સુધીમાં 600થી વધુ ઘરોને ખાલી કરાવવામાં આવ્યા છે. જમીન ધસી જવાની વારંવારની ઘટનાઓને ધ્યાનમાં રાખીને જોશીમઠને સિંકિંગ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આવીજ ઘટના ગુજરાતમાં પણ સામે આવી છે. નર્મદા નદીમાં દક્ષિણ કિનારે ભેખડો ધસી પડવાના કારણે સ્થાનિકો ચિંતાતુર બન્યા છે. ભરૂચ જિલ્લાના નર્મદા ઘાટ માટે કહેવાય છે કે અહીં કંકર તેટલા શંકર… નર્મદાના અનેક પૌરાણિક દેવાલય આવે છે જે અસલામત બની રહેલા કિનારાઓના કારણે ઐતીહાસી વારસો ગુમાવવાનો ભય વ્યક્ત કરી રહયા છે. હાલમા શ્રી ઉદાસીન કાર્ષણી કુટીયા મંદિરના તળમાં 50 ફૂટ તિરાડ પડતા મંદિર ધરાશાયી થવાથી મિલ્કત સાથે આસ્થાને પણ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

જમીન આશરે 100 ફૂટ ધસી ગઈ

જીઆઇડીસીને પાણી પહોંચાડવા ૩ દાયકા પૂર્વે બનાવાયેલ ઝઘડિયાનું પંપ હાઉસ અને પાંચ વર્ષ પહેલા ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા 70 ગામોના 96 હજાર લોકોને પીવાનું પાણી પૂરું પાડવા બનાવાયેલ પંપ હાઉસને પણ નુકસાન થયું છે .પાણી પુરવઠાના પમ્પ હાઉસના કોલમ ત્રાંસા થઈ ગયા છે.કિનારે જમીન આશરે 100 ફૂટ ધસી ગઈ છે અને હજુ પણ ધસી રહી છે.

પૌરાણિક શિવાલયોમાં ધોવાણ

શ્રી ગૌતમેશ્વર મહાદેવ મંદિર 3 સૈકા પૌરાણિક છે. આ તીર્થનો ઉલ્લેખ નર્મદા પુરાણમાં પણ છે . સો વર્ષ પહેલા મંદિરની બાજુમાં મોટું ફળિયું વસ્યું હતું ધીમે ધીમે કિનારો ધોવાતા લોકોએ વિસ્થાપન કરવું પડ્યું છે . 35 વર્ષથી સાધુ રામદાસ શિવજીની સેવા અને પૂજા કરે છે. શિવાલયના તળની માટી ધોવાઈ ગઈ છે. સદનશીબે ગૌતમેશ્વર મહાદેવના મંદિરને આંચ આવી નથી. અહીં ગૌતમેશ્વર મહાદેવની સ્થાપના ગૌતમ ઋષિએ કરી હતી અને તેની સામે તેમના ધર્મપત્ની અહલ્યાબાઈ એ અહેલેશ્વરની સ્થાપના કરી હતી. મંદિરનો ઘણો હિસ્સો ધોવાઈ ગયો છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

સંરક્ષણ દીવાલની માંગ

2 સૈકા પહેલા ઓમકારેશ્વરથી પરિક્રમા પૂર્ણ કરી કૃષ્ણપરી નર્મદા દક્ષિણ કિનારે આવેલ ત્યારે અહીં આવી કુટિર બનાવી હતી. આ સમયે નર્મદાનો કિનારો મોટી કોરલ તરફ હતો. ધીમે ધીમે નદીનો પટ મોટો થઈ રહ્યો છે .અહીં લાખો રૂપિયાના ખર્ચે નર્મદામાતા , હનુમાનજી , નવગ્રહ ,ગણેશજી અને શિવજીનું મંદિર નિર્માણ પામ્યા હતા.અહીં નર્મદા પરિક્રમાવાસીઓ માટે આશ્રમ, ભોજનશાળા તેમજ વિશ્રામસ્થાન બનાવ્યું હતું પરંતુ હાલ એક મહિના પહેલા મોટી તિરાડો પડી આશરે 50 ફૂટ જેટલો ભાગ નદીમાં સમાધિ લઈ ગયો હતો. દક્ષિણ તટ ઉપર સંરક્ષણ દીવાલ ખૂબ આવશ્યક હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">