દાખલારૂપ કાર્યવાહી : ભરૂચમાં Remdesivir ઇન્જેક્શનના કાળાબજાર કરનાર આરોગ્યકર્મી સહીત 5 ને PBM હેઠળ જેલ ભેગા કરાયા , રાજ્યનો પ્રથમ કિસ્સો

કોરોનાની બીજી લહેર દરમ્યાન રેમડેસીવીર(Remdesivir)ના ઈન્જેક્શનની અછત ઉભી થઇ હતી. સતત વધતા કેસ સામે ઓછા ઉત્પાદનના કારણે લોકો સ્વજનોના જીવ બચાવવા ગમે તે કિંમતે ઇન્જેક્શનની ખરીદી કરવા તૈયાર થતા હતા.

દાખલારૂપ કાર્યવાહી : ભરૂચમાં Remdesivir ઇન્જેક્શનના કાળાબજાર કરનાર આરોગ્યકર્મી સહીત 5 ને PBM હેઠળ જેલ ભેગા કરાયા , રાજ્યનો પ્રથમ કિસ્સો
ભરૂચ પોલીસે Remdesivir ઈન્જેક્શનના કાળાબજાર કરનાર 5 શખ્સોને PBM Act હેઠળ જેલ ભેગા કર્યા છે .
Follow Us:
| Updated on: Jun 09, 2021 | 7:49 PM

કોરોનાની બીજી લહેર દરમ્યાન રેમડેસીવીર(Remdesivir)ના ઈન્જેક્શનની અછત ઉભી થઇ હતી. સતત વધતા કેસ સામે ઓછા ઉત્પાદનના કારણે લોકો સ્વજનોના જીવ બચાવવા ગમે તે કિંમતે ઇન્જેક્શનની ખરીદી કરવા તૈયાર થતા હતા. આ તકનો લાભ ઉઠાવી કેટલાક તત્વોએ કમાણીનો વેપલો શરૂ કરી દીધો હતો.

ભરૂચ કરાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશને મેં મહિનામાં ખાસ ઝુંબેશ હાથ ધરી વાઇરલ લોડ ઓછો કરવાના પ્રયાસરૂપે ઉપયોગમાં લેવાતા રેમડેસીવીરના કાળાબજારિયાઓને ઝડપી પાડવા કવાયત શરૂ કરી હતી. જેમાં આરોગ્યકર્મી સહીત ૫ લોકોને બે અલગ અલગ કિસ્સાઓમાં ઝડપી પાડવામાં આવ્યા હતા.

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર જે એન ઝાલાને આરોગ્યકર્મી મકબુલ ચૌહાણ તેના પુત્ર મુબીન મારફતે રેમડેસીવીરના ઇન્જેક્શન ઊંચી કિંમતે કાળાબજાર કરી વેચતો હોવાની બાતમી મળતા પોલીસ સબ ઇન્સ્પેકટર અનિલ ચૌહાણની ટીમે છટકું ગોઠવી પિતા – પુત્રને ઝડપી પડ્યા હતા. ઈન્જેક્શનના ખરીદાર તરીકે પોલીસે મુંબઇનનો સંપર્ક કરી ડિલિવરી આપતા સમયે તેને રંગેહાથ ઝડપી લીધો હતો. મુબીનના પિતા એક ખાનગી હોસ્પિટલમાં આરોગ્યકર્મી હતા જેમની બાદમાં તપાસ દરમ્યાન ધરપકડ કરવામાં આવી હતી.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

બીજા કિસ્સામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેકટર કરણસિંહ મંડોરાને જંબુસર બાયપાસ વિસ્તારના મેડિકલ સ્ટોર ઉપર ઊંચી કિંમતે અને સરકાર સિવાય કોઈના પણ દ્વારા વેચાણ ઉપર પ્રતિબંધ હોવા છતાં રેમડેસીવીર ઇન્જેક્શન વેચવામાં આવતા હોવાની માહિતી મળતા પીએસઆઇ નરેશ ટાપરીયાની ટીમે વોચ ગોઠવી ઈન્જેક્શનની લેવડ – દેવડ દરમ્યાન રેડ કરી ત્રણ શખ્સોને ઝડપી પડ્યા હતા. આ શકશો મેડિકલ સ્ટોર ઉપર આ ઈન્જેક્શનના વેચાણ માટે મનાઈ હોવા છતાં ઈન્જેક્શનનું વેચાણ કરતા હતા. પ્રિન્ટેડ પ્રાઇસ કરતા ઊંચા દામ વસૂલી લોકોને ચૂનો ચોપડતા હતા.

ભરૂચ પોલીસે આ પાંચેય શકશો વિરુદ્ધ The Prevention of Blackmarketing and Maintenance of Supplies of Essential Commodities Act, 1980 હેઠળ જિલ્લા મેજિસ્ટેટ સમક્ષ કાર્યવાહીની દરખાસ્ત મૂકી હતી. જે ઉપર મંજૂરી મહોર મારી જિલ્લા મેજિસ્ટ્રેટે પાંચેયને જેલ ભેગા કરવા હુકમ કર્યો હતો.આ પાંચ આરોપીઓને અમદાવાદ, ભાવનગર, જૂનાગઢ, અને જામનગર જેલમાં ધકેલાયા છે. રાજ્યમાં રેમડેસીવીર દવાના કાળાબજારિયાઓને PBM હેઠળ જેલમાં ધકેલાયાનો આ પ્રથમ કિસ્સો છે.

PBM એક્ટ હેઠળ જેલમાં ધકેલાયેલા આરોપીઓ અરબાઝ ગરાસિયા મહમદ સાદિક સલીમ સામલી એઝાઝ ઉમરજી ગજરા મુબીન મકબુલ શરીફ ચૌહાણ મકબુલ શરીફ ચૌહાણ

Latest News Updates

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">