ભરૂચમાં યુવા દર્દીઓનું મોત બન્યો ચિંતાનો વિષય , ગઈકાલે કોવિડ સ્મશાનમાં 9 યુવાનોની ચિતા સળગી
ભરૂચમાં કોરોના(corona)નો કહેર ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે. વર્ષ ૨૦૨૦માં કોરોનના લક્ષણ , અસર અને પીડિતોના મૃત્યુ (death) ની બાબતમાં ૨૦૨૧ના હાલના સમયગાળામાં અગાઉના વર્ષની સરખામણીએ વિપરીત પરિસ્થિતિ દેખાઈ રહી છે.
ભરૂચમાં કોરોના(corona)નો કહેર ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે. વર્ષ ૨૦૨૦માં કોરોનના લક્ષણ , અસર અને પીડિતોના મૃત્યુ (death) ની બાબતમાં ૨૦૨૧ના હાલના સમયગાળામાં અગાઉના વર્ષની સરખામણીએ વિપરીત પરિસ્થિતિ દેખાઈ રહી છે. ભરૂચમાં કોરોના દર્દીઓના ઈલાજ માટે બેડ મ વેલટીલેટર અને રેમડેસીવીરના ઇન્જેક્શનતો ઠીક હવે દર્દીઓના મૃત્યુ બાદ સ્મશાનમાં અંતિમક્રિયા માટે પણ કતાર પડી રહી છે.
ભરૂચના સ્પેશિયલ કોવીડ સ્મશાન દ્વારા એક ચોંકાવનારી માહિતી જારી કરવામાં આવ્યો છે. કોરોના ૬૦ વર્ષથી વધુ વયના દર્દીઓજ મહત્તમ શિકાર બનાવતો હોવાની માન્યતા હવે ખોટી પડી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં સરવર દરમ્યાન મૃત્યુ પામનારાઓમાં ૩૦ થી ૫૦ વર્ષની વયના દર્દીઓની સંખ્યા ચિંતાજનક સ્તરે સામે આવી છે.
કોવીડ સ્મશાનના સંચાલક ધર્મેશ સોલંકીએ જણાવ્યું હતું કે રાતે ૧૦ વાગ્યા સુધીના આંકડા અનુસાર કુલ ૨૨ મૃતકોમાં ૯ દર્દી ૩૦ થી ૫૦ વર્ષની વયના હતા. કોવીડ સ્મશાન બન્યા બાદ યુવાનોના કોરોના સારવાર દદરમ્યાન મૃત્યુના આંકડાની દ્રષ્ટિએ આ સૌથી મોટી સંખ્યા છે.
૧૧ એપ્રિલના મૃતકોના આંકડા ઉપર એક નજર
વય સંખ્યા ૬૦ થી વધુ ૯ ૫૦ થી ૬૦ વર્ષ ૪ ૩૦ થી ૫૦ વર્ષ 9