BHARUCH : અણખી નજીક ટ્રકની અડફેટે મોટરસાઇકલ સવાર બે મિત્રોના મોત નિપજ્યા

ઘટનાને પગલે સ્થળ પર લોક ટોળા એકઠા થઇ ગયા હતા. પોલીસને જાણ કરાતા બન્ને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ટ્રક ચાલક સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી

BHARUCH : અણખી નજીક ટ્રકની અડફેટે મોટરસાઇકલ સવાર બે મિત્રોના મોત નિપજ્યા
2 killed in accident near jambusar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2021 | 7:39 AM

જંબુસર તાલુકાનાં અણખી ગામ પાસે વડોદરા જવાનાં માર્ગ પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે આશાસ્પદ યુવકોનાં મોત નિપજ્યાં હતા. આમોદ નગરના આમલીપુરા ગામે વણકરવાસમાં રહેતા બે યુવાનો વડોદરા કામ અર્થે ગયા હતા. જેઓ બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે જંબુસર તાલુકાના અણખી ગામે નજીક અકસ્માત નડ્યો હતો.

આમોદના આમલીપુરા વિસ્તારના બે આશાસ્પદ યુવાનો રવવિકુમાર ભરતભાઈ પરમાર અને પરેશ રમણભાઈ રણા અંગત કામ અર્થે વડોદરાના અભોર ગામે ગયા હતા. કામ પતાવી બાઈક ઉપર પરત આમોદ આવી રહ્યા હતા દરમિયાન આણખી રોડ પર વાવલી પાસે સ્કોટ કેઈસા કંપનીની સામેથી પસાર થતા હતા તે વેળાં સામેથી આવી રહેલી ડમ્પરના ચાલકે બાઈકને ટક્કર મારતાં બંને યવકો રોડ પર પટકાયા હતા. ગંભીર ઈજાને પગલે રવિ પરમારનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. ઈજાગ્રસ્ત પરેશને તાત્કાલિક સારવારઅર્થે હોસ્પિટલ ખસેડાયો હતો જોકે ટૂંકી સારવાર બાદ તેનું પણ મોટ નીપજ્યું હતું.

ઘટનાને પગલે સ્થળ પર લોક ટોળા એકઠા થઇ ગયા હતા. પોલીસને જાણ કરાતા બન્ને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ટ્રક ચાલક સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી. ઘટનામાં રવિનું ઘટનાસ્થળે જયારે પરેશ રણાને સારવાર માટે જંબુસર રેફરલ હોસ્પિટલ લઈ જવાય બાદ તેનું મોત નિપજ્યું હતું. બે યુવાનોના મોતને પગલે ગ્રામજનો અને સ્વજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

જંબુસરમાં અકસ્માતમાં વધતા બનાવ જંબુસર પંથકમાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતની સંખ્યામાં વધારો થયો છે. આ અગાઉ ૨૬ ડિસેમ્બરે જંબુસરના મગણાદ ગામ નજીક ટેમ્પો અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં ૬ લોકોને ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડાયા હતા. સદનશીબે ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ ન હતી

આ પણ વાંચો : BHARUCH : હવે ભાંગ્યુ તોય ભરૂચ નહી પણ આધુનિકતાના રસ્તે ધપ્યુ શહેર, 10 ટાંકી સહિત 44 MLD પાણીનું મેનેજમેન્ટ પૂર્ણ પણે ઓટોમેટિક રહેશે

આ પણ વાંચો : BHARUCH : કાંકરિયા ધર્માંતરણ કેસમાં NRI હાજી અબ્દુલ્લા ફેફડાવાલા સહીત 5 સામે ધરપકડ વોરંટ જારી કરાયું

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">