Bharuch: પત્નીની હત્યા કર્યા બાદ કરી આત્મહત્યા, અંકલેશ્વર શહેર પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી

Bharuch: અંકલેશ્વરના કાગદીવાડમાં પતિએ પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે અંકલેશ્વર શહેર પોલીસે ઘટનાની તાપસ હાથ ધરી છે.

Bharuch: પત્નીની હત્યા કર્યા બાદ કરી આત્મહત્યા, અંકલેશ્વર શહેર પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Apr 04, 2021 | 10:53 PM

Bharuch: અંકલેશ્વરના કાગદીવાડમાં પતિએ પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે અંકલેશ્વર શહેર પોલીસે ઘટનાની તાપસ હાથ ધરી છે. અંકલેશ્વર શહેરના કાગદીવાડમાં રહેતાં હબીબ ઉલ રહેમાન કાગઝી અને તેની પત્ની સાહીનબાનુ શાકભાજી વેચી ગુજરાન ચલાવે છે. આજે રવિવારના રોજ હબીબ ઉલ રહેમાને રસોડામાં રસોઈ બનાવી રહેલી તેની પત્ની સાહીન પર લોખંડની પાઈપથી હુમલો કરી દીધો હતો.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

હબીબે તેની પત્નીના માથામાં લોખંડની પાઈપ મારી દેતાં તે ઢળી પડી હતી અને આખા ઓરડામાં લોહી પ્રસરી ગયું હતું. પત્નીની હત્યા કર્યા બાદ હબીબ પણ મકાનના બીજા માળે ચાલ્યો ગયો હતો અને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. નિત્યક્રમ મુજબ પતિ આજે શાકમાર્કેટ ન પહોંચતા સાહીનના પતિએ ફોન કાર્ય હતા, પરંતુ ફોન ફોન સ્વીચ ઓફ આવતાં તેમણે કાગદીવાડમાં પહોંચી તપાસ કરતાં તેમના ઘટનાની જાણ થઈ હતી.

બનાવની જાણ થતાં શહેર પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક મહિલાના ભાઈ ગુલામ મહંમદે પણ બંને વચ્ચે કોઈ ખટરાગ હોવાનો ઈન્કાર કર્યો હતો, ત્યારે હત્યા અને બાદમાં આત્મહત્યાના ઘટનાક્રમનું કારણ તપાસનો વિષય બન્યો છે. હત્યા પાછળ કોઈ ચોક્કસ કારણ નહીં મળી આવતા હત્યા અને આત્માહત્યાના બનાવ અંગે રહસ્ય વધુને વધુ ઘૂંટાતું જાય છે. બનાવની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બંને મૃત દેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવની ગંભીરતા લઈને હત્યા અને આત્મહત્યાનું ચોક્કસ કારણ શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: Amreli : ભાજપ કાર્યકરને માર મારનાર પોલીસ અધિકારી ASP અભય સોનીની ગાંધીનગર બદલી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">