અંકલેશ્વરમાં 84 મકાનોની ગેરકાયદેસર રેસિડેન્શિયલ સ્કીમ ઉપર બૌડાએ બુલડોઝર ફેરવી દીધું

84 મકાનોનું બાંધકામ ચાલી રહ્યું હતું. આ આખે આખી સ્કીમ ગેરકાયદેસર હોવાનું બહાર આવતા બૌડા દ્વારા અવાર નવાર નોટીસ પાઠવવામાં આવી હતી. એક વર્ષ અગાઉથી આ અંગેની નોટીસ આપવામાં આવી હતી છતાં બાંધકામ ચાલુ રાખવામાં આવ્યું હતું.

અંકલેશ્વરમાં 84 મકાનોની ગેરકાયદેસર રેસિડેન્શિયલ સ્કીમ ઉપર બૌડાએ બુલડોઝર ફેરવી દીધું
The scheme was discovered to be illegal
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 18, 2023 | 9:36 PM

ભરૂચ-અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી BAUDA એ સ્થાપનાના 12 વર્ષમાં પેહલી વખત ગેરકાયદે બાંધકામ સામે મેગા ડીમોલેશન હાથ ધરી અંકલેશ્વરના કોસમડી ગામે 84 મકાનો ઉપર બુલડોઝર ફેરવી દીધું હતું. અંકલેશ્વર તાલુકાના કોસમડી ખાતે સંજય પટેલ નામના કોન્ટ્રાકટર દ્વારા શિવાંજલી રેસીડેન્સી નામની સ્કીમ મુકવામાં આવી હતી. આ સ્કીમ હેઠળ કુલ 232 મકાનો બનાવવાના હતા. જે પૈકી હાલમાં 35 મકાનો બનાવી તેના પજેસન પણ આપી દેવામાં આવ્યા હતા જયારે 84 મકાનોનું બાંધકામ ચાલી રહ્યું હતું. આ આખે આખી સ્કીમ ગેરકાયદેસર હોવાનું બહાર આવતા બૌડા દ્વારા અવાર નવાર નોટીસ પાઠવવામાં આવી હતી. એક વર્ષ અગાઉથી આ અંગેની નોટીસ આપવામાં આવી હતી છતાં બાંધકામ ચાલુ રાખવામાં આવ્યું હતું. BAUDA ના અધિકારી રીતેશ અમીને જણાવ્યું હતું કે, સુરતના સ્કીમ મુકનાર બિલ્ડર, ભાગીદારો, ડેવલોપર સહિત 6 જેટલા સ્કીમ મુકનાર સુરતના લોકોને છેલ્લા 6 મહિનાથી સ્થળ ઉપર જઈ નોટિસ અપાતી હતી.

સાઇટ અને બાંધકામ ગેરકાયદેસર હોવાના બે વખત બોર્ડ પણ લગાવી દીધા હતા. જોકે તે પણ આડસમાં મૂકી દઈ ગેરકાયદે બાંધકામ ચાલુ જ રખાયું હતું. અંતે આજરોજ બૌડાનું બુલડોઝર પહોચ્યુ હતું અને બાંધકામ ચાલી રહેલ 84 મકાનો તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

વધુમાં આ અંગે બૌડાના અધિકારી રીતેશ અમીને જણાવ્યું હતું કે, આ વિસ્તાર ઇન્સ્ટીટ્યુશનલ ઝોનમાં આવી રહ્યો છે અને તેથી અહી રહેણાંક વિસ્તાર ન હોઈ શકે ઉપરાંત કોન્ટ્રાકટર દ્વારા બૌડા દ્વારા લગાવવામાં આવેલ બોર્ડ પણ ઢાંકી દેવામાં આવ્યું હતું અને કામ ચાલુ રાખવામાં આવ્યું હતું. જેના પગલે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ જે 35 મકાનોના પજેસન આપવામાં આવ્યા છે. તેઓ પોતાના મકાનો નિયમિત કરવા માટેની કાર્યવાહી કરશે. આખે આખી સ્કીમ પર બુલડોઝર ફેરવી દેવતા ગેરકાયદેસર રીતે સ્કીમ મુકનાર કોન્ટ્રાકટરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી

ડીમોલેશનમાં 3 જેસીબી, 2 ટ્રેકટર, મજૂરો, બૌડાનો તમામ સ્ટાફ સહિત પોલીસ પ્રોટેક્શન સાથે કાર્યવાહી હાથ ધરાઈ હતી. પજેશન મેળવી લેનાર 35 પરિવારના મકાનો માનવતાનો અભિગમ રાખી બૌડા દ્વારા તોડાયા ન હતા. હવે આ મકાન ખરીદનાર ધારકો તંત્રને સાથે રાખી સ્કીમ મુકનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે.

Latest News Updates

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
g clip-path="url(#clip0_868_265)">