સ્વ. અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ ટૂંક સમયમાં રાજકારણમાં સક્રિય ભૂમિકામાં દેખાઈ શકે છે, તક મળે તો ચૂંટણી લડવા પણ તૈયાર

તેમણે રાજકીય પક્ષમાં સીધા જોડાતા પહેલા પોતાના માટે સારો સમય , અવસર અને સ્થળ શોધી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.  પિતા અહેમદ પટેલે પાછળ છોડેલા પરોપકારી વારસાને તે પ્રથમ પ્રાથમિકતા આપવા માંગે છે.

સ્વ. અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ ટૂંક સમયમાં રાજકારણમાં સક્રિય ભૂમિકામાં દેખાઈ શકે છે, તક મળે તો ચૂંટણી લડવા પણ તૈયાર
Ahmed Patel's daughter Mumtaz Patel (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2022 | 2:13 PM

કોંગ્રેસના દિવંગત વરિષ્ઠ નેતા  સ્વ. અહેમદ પટેલ(Ahemad Patel)ની દીકરી મુમતાઝ પટેલે(Mumtaz Patel) સક્રિય રાજનીતિમાં પ્રવેશવાના સ્પષ્ટ સંકેતો આપ્યા છે. રાજકારણમાં પ્રવેશનો માર્ગ કોંગ્રેસનો રહેશે કે નહિ તે અંગે તેમણે સ્પષ્ટતા કરી નથી. સ્વ. અહેમદ પટેલના દીકરી મુમતાઝ પટેલે આજે બુધવારે ભરૂચમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ સવસરે રાજનીતિમાં જોડાવા અંગે મીડિયાએ પૂછેલા સવાલમાં તેમણે જણાવ્યું હતું કે  તે ભરૂચમાં હમેશા સક્રિય રહેશે. સારા કામ માટે પોલિટિક્સમાં પણ પ્રવેશ લેવાની તૈયારી બતાવી હતી. પિતા અહેમદભાઈના પોલિટિકલ વારસદાર નહિ પણ રાજકારણમાં સારો મોકો મળ્યો તો જરૂર ભરૂચથી સક્રિય થવાનું  મુમતાઝે જણાવ્યું હતું. કોંગ્રેસને અલવિદા કહી નેતાઓ દ્વારા કેસરિયા ધારણ કરવાના સિલસિલાને તેમણે મોટી સમસ્યા ગણાવી આ સિલસીલાને અટકાવવો પડશે તેમ મુમતાઝ ઉમેર્યું હતું.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

અગાઉ મુમતાઝ પટેલ કહી ચુક્યા છે કે તેઓ સમુદાય અને રાષ્ટ્રીય નિર્માણનો ભાગ બનવા ઈચ્છે છે. તેમને લાગે છે કે તેમનો જન્મ તેના માટે થયો છે. તેઓ સક્રિય રાજકારણમાં જોડાવા માટે યોગ્ય સમય અને પ્લેટફોર્મની રાહ જોઈ રહ્યા છે.

જોકે તેમણે રાજકીય પક્ષમાં સીધા જોડાતા પહેલા પોતાના માટે સારો સમય , અવસર અને સ્થળ શોધી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.  પિતા અહેમદ પટેલે પાછળ છોડેલા પરોપકારી વારસાને તે પ્રથમ પ્રાથમિકતા આપવા માંગે છે. હવે મુમતાઝ પટેલની સક્રિય રાજકારણમાં પ્રવેશવાની ગતિવિધિઓ વધુ તેજ બનતી હોવાના સ્પષ્ટ સંકેતો દેખાઈ રહ્યા છે.

તિસ્તા સેતલવાડ કેસમાં અહેમદ પટેલ તરફ આંગળી ચિંધાઈ હતી

ગુજરાતના(Gujarat)  વર્ષ 2002ના ગોધરા રમખાણ(Godhra Riots)  કેસમાં સરકારે કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે. જેમાં સરકારે તિસ્તા સેતલવાડે(Teesta Setalvad)  ગુજરાતને બદનામ કરવા કાવતરૂ રચ્યાનો ઉલ્લેખ કર્યો છે. જેમાં કોંગ્રેસ પાર્ટીના અઘ્યક્ષ સોનિયા ગાંધીના પૂર્વ સલાહકાર સ્વર્ગસ્થ. અહેમદ પટેલ(Ahmed Patel)  દ્વારા રકમ અપાઈ હોવાનો સોગંદનામામાં ઉલ્લેખ કરવામા આવ્યો છે. જેમાં પહેલા 5 લાખ અને પછી 20 લાખ રૂપિયા તિસ્તાને અપાયા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ તિસ્તા સેતલવાડે તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને બદનામ કરવા કાવતરૂરચ્યુ હતું. આ રકમ વાપરીને તત્કાલીન મુખ્યપ્રધાન અને ગુજરાતને બદનામ કર્યાનો આરોપ કરવામાં આવ્યો છે. તેમજ તિસ્તાએ જુદી જુદી રીતે આ રકમ વાપરી અને છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો હતો.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">