ભરૂચ જીલ્લામાં 220 કેશ ક્રેડીટ અરજીઓને મંજૂર કરવામાં આવી, મંત્રી મનીષા વકીલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો

આ પ્રસંગે ભરૂચ જિલ્લામાં આવેલા વિવિધ સખીમંડળ તથા સ્વસહાય જૂથોના લાભાર્થીઓને કેશ ક્રેડીટ લોન મંજૂરીના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું . તથા અત્યાર સુધી ગ્રામ સંગઠનને આપેલ કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફન્ડ ( CIF ) તથા વિવિધ બેન્કોના બ્રાંચ મેનેજરનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. 

ભરૂચ જીલ્લામાં 220 કેશ ક્રેડીટ અરજીઓને મંજૂર કરવામાં આવી, મંત્રી મનીષા વકીલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો
Cash credit camp organized
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2022 | 8:25 AM

ભરૂચ(Bharuch)માં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા રાષ્ટ્રિય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ સ્વ સહાય જૂથો માટે બેંક લિંકેજ અન્વયે કેશ ક્રેડીટ કેમ્પ(Cash credit camp)નું આયોજન કરાયું  હતું. મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને દિનદયાળ અંત્યોદય યોજના અંતગર્ત રાષ્ટ્રિય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ સ્વ સહાય જૂથો માટે બેંક લિકેજ અન્વયે કેશ ક્રેડીટ કેમ્પનું આયોજન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી  ભરૂચ દ્વારા પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે કરવામાં આવ્યું હતું .આ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી પ્રાસંગિક ઉદ્બોધનમાં મંત્રી મનીષાબેન વકિલ કહ્યું હતું કે  મહિલા સશકિતકરણ તથા બહેનોના સ્વાસ્થ્યની ચિંતા સરકારે કરી છે. માતૃત્વ ધારણ કર્યા પછીના એક હજાર દિવસ સુધી  રાશન લાભ આપવાની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વડોદરા ખાતેથી કરાવી હતી. પોષણ સુધા યોજના અંતર્ગત આંગણવાડી કેન્દ્રો દ્વારા સર્ગભ તથા ધાત્રી બહેનોને એક ટાઈમનું જમવાનું મળે છે.

ભરૂચ જીલ્લામાં નવી 220 જેટલી કેશ ક્રેડીટ અરજીઓને મંજૂર કરવામાં આવી છે. અલગ અલગ યોજના થકી બહેનોને પ્રોત્સાહન આપવા તેમજ આત્મનિર્ભર બનાવવા રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે . બહેન – દિકરીના ઉત્કર્ષ માટેના પ્રયત્નો થકી ગુજરાત દેશના બીજા રાજ્યોને દિશા બતાવી રહ્યું છે . આ ઉપરાંત મંત્રીએ ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના બહેનોને આર્થિક રીતે ઉન્નત કરવાના સરહાનીય પ્રયત્ન બદલ પ્રશંસા કરી હતી .

bahruch

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

આ પ્રસંગે નાયબ મુખ્યદંડક શ્રી દુષ્યંતભાઇ પટેલે  જણાવ્યું હતું કે સ્વ સહાય ગૃપને અંદાજિત રૂપિયા 256 લાખની આર્થિક મદદ કરીને આત્મનિર્ભર બનાવવા માતબર ફાળો આપ્યો છે . અનેક યોજના છેવાડા માનવી સુધી કેવી રીતે પહોંચે એ માટે સરકાર સતત કટિબદ્ધ છે . આ માટે સરકારશ્રીએ અમલમાં મુકેલ અટલ પેન્શન યોજના , પ્રધામંત્રીશ્રી સુરક્ષા વીમા યોજના , પ્રધામંત્રીશ્રી જીવન જ્યોત યોજના થકી આપણા તથા આપણા પરિવારની આર્થિક તથા સામાજિક રીતે સુરક્ષિત બન્યું છે . આ ઉપરાંત તેમણે પશુ સંવર્ધન માટે વેક્સિનેશન થકી પશુઓના સ્વાસ્થયની દરકાર રાજ્ય સરકાર લઈ રહી છે તેમ જણાવ્યું હતું .

આ પ્રસંગે ભરૂચ જિલ્લામાં આવેલા વિવિધ સખીમંડળ તથા સ્વસહાય જૂથોના લાભાર્થીઓને કેશ ક્રેડીટ લોન મંજૂરીના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું . તથા અત્યાર સુધી ગ્રામ સંગઠનને આપેલ કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફન્ડ ( CIF ) તથા વિવિધ બેન્કોના બ્રાંચ મેનેજરનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.  આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ , નગરપાલિકા પ્રમુખ  અમિત ચાવડા , જિલ્લા આગેવાન મારૂતિસિંહ અટોદરિયા , જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી , જિલ્લા કલેકટર  તુષાર સુમેરા , જિલ્લા વિકાસ અધિકારી યોગેશ યૌધરી , જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક  સી ની લતા વગેરે અધિકારીશ્રીઓ અને પધાધિકારી  તથા મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા .

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">