ભરૂચના મુસાભાઈ છે વિચિત્ર ભૂખનો શિકાર જુઓ વીડિયો

સ્વાદના ચટાકા દરેકને આકર્ષિત કરતા હોય છે કોઈને મીઠું ભોજન ભાવતું હોય છે તો કોઈને તીખું પણ ભરૂચમાં એક એવા વ્યક્તિ રહે છે જેમને અનોખા ભોજનની તલપ રહેતી હોય છે. ભરૂચના મુસાભાઈ ધોબીને આગની ભૂખ લાગે છે જેને સંતોષવાની તેમની રીત પણ અનોખી છે. આગનું તણખલુ શરીરને સ્પર્શે તો આપણને દર્દ થાય છે પણ તણખલુ […]

ભરૂચના મુસાભાઈ છે વિચિત્ર ભૂખનો શિકાર જુઓ વીડિયો
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Apr 27, 2019 | 3:12 AM

સ્વાદના ચટાકા દરેકને આકર્ષિત કરતા હોય છે કોઈને મીઠું ભોજન ભાવતું હોય છે તો કોઈને તીખું પણ ભરૂચમાં એક એવા વ્યક્તિ રહે છે જેમને અનોખા ભોજનની તલપ રહેતી હોય છે.

ભરૂચના મુસાભાઈ ધોબીને આગની ભૂખ લાગે છે જેને સંતોષવાની તેમની રીત પણ અનોખી છે. આગનું તણખલુ શરીરને સ્પર્શે તો આપણને દર્દ થાય છે પણ તણખલુ નહિ પરંતુ આગ કોઈનું ભોજન હોય તો કલ્પના માત્રથી દર્દનો અહેસાસ થાય પણ આ હકીકત છે. ભરૂચના શેરપુરા ગામના મુસાભાઈ ઇબ્રાહિમ ધોબી અનોખી શારીરિક ક્ષમતા સાથે વિચિત્ર ભૂખનો શિકાર છે.

ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

મુસાભાઈ ભોજન માટે ડાઇનિંગ ટેબલ ઉપર બેસે ત્યારે પ્લેટમાં શાક રોટલી કે દાળ – ભાત , મિસ્ટાન નહિ પરંતુ માચીસની ડબ્બીઓ લાવવામાં આવે છે. આ માચીસ મુસાભાઈની આગની ભૂખ સંતોષવા માટે આપવામાં આવે છે. મુસાભાઈ એક પછી એક સળગતી દીવાસળીઓ મોં માં રાખી પોતાની આગની ભૂખ સંતોષે છે. મુસાભાઈએ શરૂઆત એક બે સળગતી દીવાસળીથી કરી હતી ત્યારબાદ 10 થી 20 દીવાસળી એકસાથે સળગાવી મોં માં રાખે છે.

મુસાભાઈ ઇબ્રાહિમ ધોબી અનુસાર જેમ આપણને ભોજન માટે ભૂખ લાગે છે તેમ એમને આગની ભૂખ લાગે છે. દરરોજ 3-4 બોક્સ દીવાસળી સળગાવી મોં માં મૂકે તો જ તેમને સંતોષ થાય છે. છેલ્લા 15 વર્ષથી આ ભૂખનો તેઓ શિકાર છે. એક દીવાસળીથી શરૂઆત બાદ આજે એકસાથે 30 થી 35 દીવાસળી સળગતી મોં માં મુકવા છતાં તેમને ઇજા થતી નથી.

મુસાભાઈનો પરિવાર અને મિત્રો પણ તેમની વિચિત્ર ભૂખથી આશ્ચર્યચકિત છે. તેમને આગનો ભોજન લેતા જોવા ઘણીવાર મિત્રો ખાસ તેમના ઘરે પહોંચે છે. મુસાભાઈનો દાવો છે કે કોઈ દવા કે ઝહેર પણ તેમને અસર કરતા નથી.

મુસાભાઈના મિત્ર વસીમ મલેક અનુસાર તેઓ બાળપણથી જોતા આવ્યા છે. મુસાભાઈ અસાધારણ વ્યક્તિ છે, મુસાભાઈને માત્ર આગ નહિ પરંતુ દવા અને ઝહેર પણ અસર કરતી ન હોવાનો તેમનો દાવો છે. જેમની શારીરિક રચના અને ક્ષમતા અનોખી છે. મુસાભાઈની આગની ભૂખ ચોક્કસ સંશોધનનો વિષય જણાઈ રહ્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">