Bharuch : અસહ્ય મોંઘવારી સામે ટકી રહેવા આમઆદમી ભગવાનની શરણે પહોંચ્યો,જાણો દેવું ઉતારવા લોકોએ શું કર્યું?

કપરા કોરોના કાળમાં અનેક લોકો બેરોજગાર બનવા સાથે આર્થિક ભીંસમાં સપડાતા દેવાના ડુંગરો તળે દબાયા છે. આર્થિક તંગી અને દેવામાંથી બહાર આવવા ભરૂચમાં સિંધવાઈ માતાના મંદિરે અનોખી માન્યતા પ્રમાણે દૂર દૂર થી લોકો ઋણ મુક્ત થવા અનોખો ટુચકો અજમાવે છે.

Bharuch : અસહ્ય મોંઘવારી સામે ટકી રહેવા આમઆદમી ભગવાનની શરણે પહોંચ્યો,જાણો દેવું ઉતારવા લોકોએ શું કર્યું?
Sindhvai Temple - Bharuch
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2021 | 6:54 PM

હાલ મોંઘવારી આમ આદમીને કમરતોડ ફટકો મારી રહી છે. કોરોનાના ભરડામાંથી હજુ અર્થતંત્ર બહાર નથી આવ્યું ત્યાંતો મોંઘવારી અસહ્ય બની રહી છે.  કોરોનાએ લોકોને શારીરિક કરતા આર્થિક નુકશાન વધુ કર્યું છે. કડક લોકડાઉન અને પ્રતિબંધોના કારણે લોકોના વેપાર રોજગારને ભારે નુકશાન પહોંચ્યું છે. ઘણા વેપારના ટ્રેન્ડ બદલાયા છે જેના કારણે અનેક લોકોના રોજગાર છીનવાયાછે. મુશ્કેલી સમયે માનવી એક આશરો કુદરત તરફ જરૂર શોધે છે. દેવામુક્ત બનવાના પ્રયાસરૂપે આજે ભરૂચવાસીઓએ એક અનોખો ટુચકો અજમાવ્યો હતો.

કપરા કોરોના કાળમાં અનેક લોકો બેરોજગાર બનવા સાથે આર્થિક ભીંસમાં સપડાતા દેવાના ડુંગરો તળે દબાયા છે. આર્થિક તંગી અને દેવામાંથી બહાર આવવા ભરૂચમાં સિંધવાઈ માતાના મંદિરે અનોખી માન્યતા પ્રમાણે દૂર દૂર થી લોકો ઋણ મુક્ત થવા અનોખો ટુચકો અજમાવે છે. મંદિરના પટાંગણમાં આવેલ સમી વૃક્ષની નખથી છાલ ઉતારી માતાજીને અર્પણ કરનાર દેવા મુક્ત બનતા હોવાની માન્યતાને અનેક લોકોએ અનુસરી હતી.

દશેરા વિજયાદશમીના પર્વએ ભરૂચમાં દેવું ઉતારવા અનોખી પૂજા થાય છે. શહેરમાં સિંધવાઇ માતાના મંદિરમાં સમી વૃક્ષની છાલ હાથથી ઉખાડી માતાને અર્પણ કરવાથી દેવું ઉતરતું હોવાની માન્યતા સાથે અનેક લોકો નશીબ અજમાવવા આસ્થાભેર ઉમટી પડે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

બે વર્ષથી કોરોના મહામારી વચ્ચે ઘણા લોકોની નોકરી છીનવાઈ જવા સાથે વેપાર- ધંધા પણ ઠપ થઈ ગયા હતા. કારમી મોંઘવારીમાં માત્ર કરકસરનો કિમિયો કારગર નહિ નિવડતા હવે નસીબ અજમાવવા આમઆદમી અવનવા નુસખા અને માન્યતાઓનાં જોરે ભગવાનનાં દ્વાર ખટખટાવી રહ્યો છે.

દેવું ઉતારવાની અને ઘર-પરિવારમાં કાયમ બરકત રહે તેવી એક માન્યતા વિજયાદશમીએ ભરૂચ શહેરમાં આવેલા સિંધવાઇ માતાનાં 300 વર્ષ જૂના પ્રાચીન મંદિર સાથે સંકળાયેલી છે. માન્યતા મુજબ સિંધવાઇ માતાનાં મંદિરમાં આવેલા સમી વૃક્ષની છાલ હાથથી ઉખાડી તે આસતરીના પાન સાથે માતાને અર્પણ કરવામાં આવે તો શ્રદ્ધાળુનું દેવું દૂર થવા સાથે ધન લાભ થાય છે.

સૈકાઓ જૂની માન્યતાને અનુસરીને માતાનાં આશીર્વાદ સાથે દેવા મુકત થવા જિલ્લા ઉપરાંત અન્ય મોટા શહેરોમાંથી પણ શ્રદ્ધાળુઓ ઉમટી પડી શ્રદ્ધામાં ગળાડૂબ બની માન્યતા મુજબ પૂજાવિધી કરે છે. વિજયાદશમીએ અપાર શ્રદ્ધા સાથે મંદિરે ટુચકો અજમાવી મોંઘવારીનાં સમયમાં માતાજી સમક્ષ પ્રાર્થના કરવા ભરૂચમાં શ્રદ્ધાળુઓ ઉમટવાનાં શરૂ થઇ ગયાં છે. સમી સાંજે આ માન્યતા મુજબ સમી વૃક્ષની છાલ ઉખાડી આસ્તરી ના પાન માતાને અર્પણ કરવા સિંધવાઈ મંદિરે કતારો લાગી ગઈ હતી.

આ પણ વાંચો :  ભરૂચ : અંકલેશ્વર જીઆઇડીસીમાં એક કેમિકલ કંપનીમાં આગ લગતા 3 મજુરો દાઝયા

આ પણ વાંચો : “આ મંદિર વેચવાનું છે”, અશાંતધારો લાગુ હોવા છતાં વર્ષોથી રહેતા લોકો ઘર-બાર વેંચવા મજબૂર બન્યા

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">