BHARUCH : સતત બીજા દિવસે કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો, કયું પરિબળ કરી રહ્યું છે અસર?
ભરૂચમાં 13 જાન્યુઆરીએ મહત્તમ કેસ નોંધાયા બાદ સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. 13 જાન્યુઆરીએ 308 દર્દીઓ નોંધાયા હતા
રાજ્યમાં કોરોના(Corona)ની ત્રીજી લહેર સાથે કોરોના સંક્રમિતઓની સંખ્યામાં ચિંતાજનક સ્તરે ઉછાળા બાદ ફરી એકવાર સ્થિતિમાં સુધારો આવી રહ્યો છે જોકે દર્દીઓની સંખ્યામાં ઘટાડો રજાઓ દરમ્યાન ટેસ્ટિંગની સંખ્યામાં ઘટાડો છે કે ખરેખર સંક્રમણ ઘટ્યું છે તે મામલો અભ્યાસ માંગી રહ્યો છે.
કોરોનની બીજી લહેરના ઘાતક પરિણામોએ લોકોને ભયભીત કર્યા હતા. મહામારીએ રીતસરનું મોતનું તાંડવઃ સર્જ્યું હતું. આ લહેરની અસર ઓછી થયા બાદ સ્થિતિ સામાન્ય થતી નજરે પડવા લાગી હતી. કોરોના વેક્સીનનું અભિયાન પણ તેજ બનતા કોરોનાને જાકારો મળ્યો હોવાનું લોકો માનવ લાગ્યા હતા પરંતુ સ્થાનિક ચૂંટણીઓ અને લગ્ન સીઝન બાદ ફરી એકવાર કોરોને માથું ઉચક્યું છે.
રાજ્યમાં આજે 15 જાન્યુઆરીના રોજ કોરોનાના નવા 9177 કેસ નોંધાયા છે..જ્યારે કોરોનાના કારણે સાત દર્દીઓનાં મોત થયા છે.તો એક જ દિવસમાં 5,404 લોકો કોરોના મુક્ત થયા છે. ભરૂચમાં નવા કોરોના દર્દીઓની સંખ્યા ૬૭ નોંધાઈ છે. જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 693 છે.
એક નજર ત્રીજી લહેર દરમ્યાન કેસની નોંધાયેલી સંખ્યા ઉપર કરીએ
Date | Case |
26-Dec | 1 |
31-Dec | 9 |
3-Jan | 16 |
5-Jan | 39 |
7-Jan | 50 |
9-Jan | 68 |
11-Jan | 92 |
12-Jan | 217 |
13-Jan | 308 |
14-Jan | 118 |
15-Jan | 67 |
દર્દીઓની સંખ્યાની પેટર્નને જોતા જાન્યુઆરુ 2022 ની શરૂઆત સાથે સતત કેસમાં વધારો થતો નજરે પડ્યો હતો. 13 જાન્યુઆરીએ સૌથી વધુ 308 કેસ ભરૂચમાં નોંધાયા હતા. આ અગાઉ 12 જાન્યુઆરીએ 217 જયારે 11 જાન્યુઆરીએ 92 કેસ નોંધાયા જે મુજબ આ દિવસો દરમ્યાન સતત કેસમાં બમણો વધારો થયો તેમ કહી શકાય.
બે દિવસથી કેસમાં ઘટાડો
13 જાન્યુઆરીએ મહત્તમ કેસ નોંધાયા બાદ સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. 13 જાન્યુઆરીએ 308 દર્દીઓ નોંધાયા બાદ 14 જાન્યુઆરીએ ઉતરાયણ પર્વના દિવસે અડધાથી વધુ દર્દીઓની સંખ્યામાં ઘટાડા સાથે 118 અને આજે 15 જાન્યુઆરીએ 67 કેસ નોંધાયા છે.
દર્દીઓની સંખ્યામાં અચાનક ઘટાડાનું કારણ શું?
છેલ્લા બે દિવસથી કોરોના કેસમાં ઘટાડા પાછળ ક્યુ પરિબળ અસર કરી રહ્યું છે તે મૂંઝવણ છે. અચાનક કેસમાં ઘટાડા પાછળ રજાઓના કારણે ટેસ્ટિંગમાં ઘટાડાને કારણભૂત માનવામાં આવે છે તો બીજી તરફ ત્રીજી લહેર દરમ્યાન કોરોનની ગંભીર અસર ન દેખાતા લોકો ટેસ્ટિંગમાં રુચિ ઓછી દેખાડતા હોવાના મામલા પણ સામે આવી રહયા છે.
આ પણ વાંચો : ગુજરાતમાં સતત બે દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો, નવા 9177 કેસ નોંધાયા