પડતર માંગણીઓ પૂરી ન થવાથી નારાજ ગૌશાળા સંચાલકો પશુધનને લઇને રસ્તા પર ઉતર્યા

ગૌશાળાના સંચાલકોએ ગૌશાળાની ગાયોને રસ્તા પર છોડી વિરોધ નોંધાવ્યો છે. લાખણીની ગેળા અને કુડાની ગૌશાળાની ગાયોને રસ્તા પર લઇ સરકારી કચેરી તરફ સંચાલકો નીકળ્યા હતા સંચાલકોનો આક્ષેપ છે કે સરકાર છ મહિના પહેલા સહાય આપવાની જાહેર કરી હતી, પરંતુ હજી સુધી સહાય મળી નથી.

પડતર માંગણીઓ પૂરી ન થવાથી નારાજ ગૌશાળા સંચાલકો પશુધનને લઇને રસ્તા પર ઉતર્યા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2022 | 11:18 AM

ગુજરાતમાં  (Gujarat) પાંજરાપોળ અને ગૌશાળાના સંચાલકો તેમના પડતર પ્રશ્નો નહી ઉકેલાતા નારાજ છે. નારાજ થયેલા પાંજરાપોળ અને ગૌ શાળાના સંચાલકોએ તેમના ત્યા આશરો લઈ રહેલા પશુઓને જાહેર રસ્તા ઉપર છોડી મૂક્યા હતા. ઉતર ગુજરાતના  (North Gujarat) ગૌશાળાઓ પાંજરાપોળના સંચાલકોએ આક્ષેપ કર્યો છે કે, તેમને પશુ  (Cattle) નિભાવ માટે મળવાપાત્ર 500 કરોડની સહાય હજુ સુધી આપવામાં આવી નથી. જેના કારણે ગૌશાળા અને પાંજરાપોળનું સંચાલન કરવું આર્થિક રીતે ખુબ જ મુશ્કેલ બન્યું છે. જો તેમની પડતર માંગણી નહી સંતોષાય તો, પશુઓને સરકારી કચેરી તેમજ રાસ્તા ઉપર જાહેરમાં છોડી દેવાની ચીમકી આપવામાં આવી હતી.

રાજ્ય સરકારે ગૌશાળાઓ પાંજરાપોળોને 500 કરોડની સહાય ન ચૂકવતા બનાસકાંઠાના સંચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ગૌશાળા પાંજરાપોળને સહાય ચૂકવવાની માગ સાથે સંચાલકોએ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો છે અને ડીસા હાઇવ પર ચક્કાજામ કર્યો છે

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

ગૌશાળાના સંચાલકોએ ગૌશાળાની ગાયોને રસ્તા પર છોડી વિરોધ નોંધાવ્યો છે. લાખણીની ગેળા અને કુડાની ગૌશાળાની ગાયોને રસ્તા પર લઇ સરકારી કચેરી તરફ સંચાલકો નીકળ્યા હતા સંચાલકોનો આક્ષેપ છે કે સરકાર છ મહિના પહેલા સહાય આપવાની જાહેર કરી હતી, પરંતુ હજી સુધી સહાય મળી નથી. એટલું જ નહીં આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ નિવેડો લવાયો નથી. આખરે કંટાળીને ગાયોને સરકારની કચેરીમાં છોડવાનો નિર્ણય લીધો છે.

તો બીજી તરફ ગૌશાળા સંચાલકોની ચીમકીને પગલે જિલ્લા પોલીસ એલર્ટ બની છે અને ડીસા સહિત અનેક ગૌશાળા-પાંજરાપોળ બહાર પોલીસે બેરીકેટ ગોઠવી દીધા છે. સંચાલકો પશુઓ સાથે સરકારી કચેરી સુધી ન પહોંચે તે માટે પોલીસે તૈયારી કરી લીધી છે અને સંચાલકોને સરકારી કચેરી સુધી પશુ લઇને જતા અટકાવશે.

પાટણમાં પણ પાંજરાપોળને મરાયા તાળા

ઉત્તર ગુજરાતના પાટણમાં  પશુ સહાય ન મળતા પાંજરાપોળના સંચાલકો આજે પશુઓને સરકારી કચેરીઓમાં છોડી મૂકવા સુધીનો રોષ વ્યક્ત કર્યો હતો. પાટણમાં સંચાલકોએ પાંજરાપોળોને તાળા મારી દીધા છે  સાંતલપુર, વારાહી અને રાધનપુરમાં પાંજરાપોળના સંચાલકોમાં ભારે રોષ વ્યાપેલો છે અને તેમણે હજારો પશુઓને રસ્તા પર છોડીને વિરોધ દર્શાવ્યો છે.

Latest News Updates

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">