સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના ચાચર ચોકમાં નવમા નોરતે ગરબાની રમઝટ જામી, શિક્ષણ રાજ્ય મંત્રી રહ્યા હાજર
નવરાત્રિના નવમા નોરતે વિશ્વ પ્રસિદ્ઘ યાત્રાધામ અંબાજી મંદિરના ચાચર ચોકમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા શિક્ષણ રાજ્ય મંત્રી કિર્તીસિંહ વાઘેલાએ દિપ પ્રાગટ્ય કરી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના ચાચર ચોકમાં નવમા નોરતે ગરબાની રમઝટ જામી હતી. અંબાજી માતાના આંગણે મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબા રમ્યા. શક્તિ અને ભક્તિના પાવન પર્વે પ્રધાન કીર્તિસિંહ વાઘેલા, બનાસકાંઠાના સાંસદ પરબત પટેલે આરતી ઉતારીને વંદના કરી હતી. રાજ્યના પ્રધાન કીર્તિસિંહ વાઘેલાએ મા અંબે પ્રજાની ઈચ્છા, અપેક્ષા પૂર્ણ કરી સૌને સુખ-સમૃદ્ધિ આપે તેવી કામના કરી હતી.
આદ્યશકિત આરાઘનાના પર્વ નવરાત્રિના નવમા નોરતે વિશ્વ પ્રસિદ્ઘ યાત્રાધામ અંબાજી મંદિરના ચાચર ચોકમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણ રાજ્ય મંત્રી કિર્તીસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને ગુજરાત યાત્રાધામ અને પ્રવાસન વિભાગ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંબાજી મંદિરના ચાચર ચોકમાં શિક્ષણ રાજ્ય મંત્રી કિર્તીસિંહ વાઘેલાએ દિપ પ્રાગટ્ય કરી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે મંત્રીએ રાજ્યના નાગરિકોને નવરાત્રિ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. મા અંબાની કૃપાથી આપણા ગુજરાત અને સમગ્ર દેશમાં સુખ-સમૃધ્ધિ પથરાય તથા આપણું રાજ્ય ઉત્તરોતર પ્રગતિના કરે તેવી માતાજીના ચરણોમાં પ્રાર્થના મંત્રીએ કરી હતી. આ ઉપરાંત મંત્રીએ માતાજીને પ્રાર્થના કરી કે નવરાત્રિના આનંદ – ઉલ્લાસના આ પર્વની જેમ આપણા સૌના જીવનમાં સુખ-સમૃધ્ધિ પથરાય તથા માતાજી સૌને તંદુરસ્ત, દીર્ઘઆયુષ્ય આપે.
આ પ્રસંગે ગુજરાતના લોક કલાકારો સંજય ઓઝા, પાર્થ ઓઝા અને ક્રિષ્ના એન્જિનયર સહિતના કલાકારોએ મંદિરના ચાચર ચોકમાં ગરબાની રમઝટ બોલાવી હતી. સમગ્ર મંદિર પરિસરમાં માઈભક્તો ગરબે રમ્યા હતા.
આ પણ વાંચો: Ahmedabad: વાડજ વિસ્તારના એક મકાનમાં આગ લાગવાની ઘટના, સિદ્ધિ ફ્લેટના મકાનમાં લાગી આગ
આ પણ વાંચો: મહારાષ્ટ્ર: ઉદ્ધવ સરકારમાં મંત્રી જીતેન્દ્ર આવ્હડની ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો?