ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની આશંકાને લઈને બનાસકાંઠાના 1 ગામના લોકોએ આપી બહાદૂરીની મિસાલ
ગુજરાતના ઘણાં ગામો સીધી રીતે પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલાં છે. હાલ તણાવની સ્થિતિને લઈને ભારતીય બોર્ડર સિક્યુરીટી ફોર્સના જવાનો સરહદની નજીકના ગામો ખાલી કરાવી રહ્યાં છે. ગુજરાતના કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના અમુક ગામો સીધી રીતે પાકિસ્તાન અને ભારતની આંતરરાષ્ટ્રીય સીમા પર આવેલાં છે. હાલની તણાવની પરિસ્થિતિને લઈને બોર્ડર સિક્યુરીટી ફોર્સના જવાનો આ ગામોને ખાલી […]
ગુજરાતના ઘણાં ગામો સીધી રીતે પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલાં છે. હાલ તણાવની સ્થિતિને લઈને ભારતીય બોર્ડર સિક્યુરીટી ફોર્સના જવાનો સરહદની નજીકના ગામો ખાલી કરાવી રહ્યાં છે.
ગુજરાતના કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના અમુક ગામો સીધી રીતે પાકિસ્તાન અને ભારતની આંતરરાષ્ટ્રીય સીમા પર આવેલાં છે. હાલની તણાવની પરિસ્થિતિને લઈને બોર્ડર સિક્યુરીટી ફોર્સના જવાનો આ ગામોને ખાલી કરાવી રહ્યાં છે. બનાસકાંઠામાં અને ભારત-પાકિસ્તાનની સરહદ પર આવેલાં સુઈગામ અને જલોયા ગામમાં જ્યારે બોર્ડર સિક્યુરીટી ફોર્સના જવાનો પહોંચ્યા અને કહ્યું કે આ ગામ તમારી સુરક્ષાને કારણે ખાલી કરવું પડશે. ગામના લોકોએ બોર્ડર સિક્યુરીટી ફોર્સના જવાનોને કહ્યું કે પાછળ હટવાનો કોઈ સવાલ જ નથી. જો યુદ્ધ થયું તો અમે પણ પાકિસ્તાનની સામે ભારતીય આર્મીની સાથે રહીને લડીશું.
1971ની સાલમાં પાકિસ્તાનના વાયુસેનાએ કચ્છમાં આવેલાં ભુજ એરપોર્ટને 35 વખત નિશાન બનાવીને તોડી પાડ્યું. ભારતીય વિમાનો ત્યારે ઉડી શકે તેમ નહોતા કારણ કે ત્યાંનો રન-વે તૂટી ગયો હતો. આ સમયે ત્યાંની સ્થાનિક 300 મહિલાઓએ રાત-દિવસ કામ કરીને તે રન-વેને રિપેર કરી આપ્યો હતો. આ રનવે શરુ થવાથી તરત જ ભારતીય વાયુસેનાના વિમાનો ઉડી શકયાં હતા અને પાકિસ્તાનને વળતો જવાબ આપ્યો હતો.
[yop_poll id=1878]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]