Bharatmala Project : બનાસકાંઠાના ખેડૂતોની સમસ્યાને લઈ સાંસદ પરબતભાઇ પટેલે, માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીને કરી રજૂઆત

સરકારી ઝડપી પરિવહન થાય તે માટે ભારત માલા પ્રોજેક્ટનું આયોજન કર્યું છે. સૌથી મોટી સમસ્યા એ છે કે જે વિસ્તારમાંથી આ રોડ પસાર થાય છે, તે વિસ્તારના ખેડૂતોના ખેતરના બે ભાગ થઈ જાય છે.

Bharatmala Project : બનાસકાંઠાના ખેડૂતોની સમસ્યાને લઈ સાંસદ પરબતભાઇ પટેલે, માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીને કરી રજૂઆત
માર્ગ પરિવહન મંત્રી - નીતિન ગડકરી
Follow Us:
Kuldeep Parmar
| Edited By: | Updated on: Jul 21, 2021 | 4:53 PM

બનાસકાંઠાના (Banaskantha) સરહદી વિસ્તાર વાવ થરાદ અને સુઈગામમાંથી ભારતમાલા પ્રોજેક્ટનો નેશનલ હાઈવે નીકળે છે. હાઈવે અંતર્ગત 489 હેક્ટર જમીન સંપાદિત કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતો (Farmers) મુશ્કેલીમાં છે. રોડના નિર્માણ કાર્યથી કેટલાક ખેતરોના ભાગ થઈ ગયા છે. આ ઉપરાંત જ્યાંથી રસ્તો પસાર થાય છે, ત્યાં અંડરપાસ ન મુકતા ખેડૂતો પરેશાન બન્યા છે.

પોતાના વિસ્તારના ખેડૂતોની સમસ્યાને સંસદ સભ્ય પરબતભાઈ પટેલ ભારત સરકારના માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી સમક્ષ રૂબરૂ તેમજ લેખિત રજૂઆત કરી ખેડૂતોની સમસ્યા હલ કરવા માટે માંગણી કરી છે.

ભારતમાલા પ્રોજેક્ટના કારણે વધી ખેડૂતોની મુશ્કેલી

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

સરકારી ઝડપી પરિવહન થાય તે માટે ભારતમાલા પ્રોજેક્ટનું આયોજન કર્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત લાખો હેકટર જમીન સંપાદન થઇ રહી છે. જેના કારણે ખેડૂતોની જમીનો તો જઈ રહી છે, પરંતુ સૌથી મોટી સમસ્યા એ છે કે જે વિસ્તારમાંથી આ રોડ પસાર થાય છે, તે વિસ્તારના ખેડૂતોના ખેતરના બે ભાગ થઈ જાય છે. જેથી એક ખેતરમાંથી બીજા ખેતરમાં જવા માટે ખેડૂત પાસે કોઈ માર્ગ બચતો નથી. જ્યારે બીજી તરફ જે માર્ગ પર ભારતમાલા પ્રોજેક્ટ પસાર થઇ રહ્યો છે, ત્યાં અવર-જવર માટે અંડરપાસ ન મુકાતા સ્થાનિક લોકો પરેશાન બન્યા છે.

નીતિન ગડકરી પાસે ખેડૂતોની મુશ્કેલી મામલે સાંસદ સભ્યની લેખિત અને મૌખિક રજૂઆત

વર્ષોથી સરહદી વિસ્તારના લોકોનું પ્રતિનિધિત્વ કરતા બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલે ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત થઈ રહેલા રોડ નિર્માણ કાર્યથી ખેડૂતોની મુશ્કેલી મામલે માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીને મળી રૂબરૂ રજૂઆત કરી હતી. જેમાં તેમણે ખેડૂતોની સમસ્યા, વરસાદી પાણીના નિકાલ તેમજ અવર-જવર માટે અંડરપાસ મુકવા માટે રજૂઆત કરી હતી.

સાંસદ પરબતભાઇ પટેલની રજૂઆત

1. ભારતમાલા પ્રોજેકટની બંને બાજુ સર્વિસ રોડનું નિર્માણ કરવું જોઈએ.

2. ખેડૂતો ખેતરમાં અવરજવર કરી શકે તે માટે રોડની આજુબાજુ પ્રોટેક્શન વોલ ન બનાવવી જોઈએ.

3. અંડર પાસની સાઈઝમાં વધારો કરવો જોઈએ. 7 × 4.5 મીટરના અંડર પાસ બનાવવા જોઈએ.

4. વરસાદી પાણીના નિકાલ માટેના અંડર પાસની સાઈઝ 3×3 મીટર રાખવી જોઈએ.

Latest News Updates

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
g clip-path="url(#clip0_868_265)">