Banaskatha : અંબાજીની જનરલ હોસ્પિટલમાં કોવિડ હેલ્થ સેન્ટર ઉભું કરાયું, વેન્ટિલેન્ટરની તંગીથી દર્દીઓ પરેશાન

Banaskatha : દાંતા તાલુકામાં સતત વધી રહેલા કોરોના પોઝેટીવ કેસોને લઈ દર્દીઓને સ્થાનિક સ્તરે સારવાર મળી રહે તે માટે યાત્રાધામ અંબાજીની જનરલ હોસ્પિટલને હાલ ડેઝીગ્નેટેડ કોવીડ હેલ્થ સેન્ટરમાં પરિવર્તિત કરવામાં આવી છે.

Banaskatha : અંબાજીની જનરલ હોસ્પિટલમાં કોવિડ હેલ્થ સેન્ટર ઉભું કરાયું, વેન્ટિલેન્ટરની તંગીથી દર્દીઓ પરેશાન
ફાઇલ
Follow Us:
| Updated on: Apr 25, 2021 | 3:40 PM

Banaskatha : દાંતા તાલુકામાં સતત વધી રહેલા કોરોના પોઝેટીવ કેસોને લઈ દર્દીઓને સ્થાનિક સ્તરે સારવાર મળી રહે તે માટે યાત્રાધામ અંબાજીની જનરલ હોસ્પિટલને હાલ ડેઝીગ્નેટેડ કોવીડ હેલ્થ સેન્ટરમાં પરિવર્તિત કરવામાં આવી છે. હાલ તબક્કે આ કોવીડ હેલ્થ સેન્ટરમાં 50 બેડની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.

દાંતા તાલુકામાં સતત વધી રહેલા કોરોના પોઝેટીવ કેસોને લઈ દર્દીઓને સ્થાનિક સ્તરે સારવાર મળી રહે તે માટે યાત્રાધામ અંબાજીની જનરલ હોસ્પિટલને હાલ ડેઝીગ્નેટેડ કોવીડ હેલ્થ સેન્ટરમાં પરિવર્તિત કરવામાં આવી છે. હાલ તબક્કે આ કોવીડ હેલ્થ સેન્ટરમાં 50 બેડની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. જેમાં 30 બેડ ઓક્સીજન વાળા અને 20 બેડ સાદા છે. જેમાં તમામ બેડ હાલ હાઉસફૂલ થઇ ગયા છે ને છતાં દર્દીઓનો ધસારો ચાલુ છે. જોકે હાલ તબક્કે ઓક્સીજન ઘટવાના લીધે દર્દીઓ મોટી સંખ્યામાં પરેશાન છે તેઓ અંબાજી પહોંચી રહ્યા છે. અને અંબાજી ખાતે ઓક્સીજનના જમ્બો સિલિન્ડર પાલનપુરથી લાવવામાં આવે છે પણ આ હોસ્પિટલમાં વેન્ટિલેટરની સુવિધા ન હોવાથી દર્દીઓના મોત પણ નીપજી રહ્યા છે. હમણાં સુધી આ હોસ્પિટલમાં 7 જેટલા કોરોના દર્દીઓના મોત નિપજ્યા છે. જેમાં મહત્તમ વેન્ટિલેટરના અભાવે આ પરિસ્થતિ નિર્માણ થઇ છે. જેને લઈ મૃત્યુ પામનાર વ્યક્તિના પરિજનો પણ આ હોસ્પિટલમાં વેન્ટિલેટરની સુવિધા ઉભી કરવા માંગ કરી રહ્યા છે.

જોકે આ હોસ્પિટલમાં હમણાં સુધી 21 કોરોના દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થઇ પોતાના ઘરે ગયા છે. અને આ હોસ્પિટલમાં હાલ તબક્કે કુલ 6 ઉપરાંત તબીબો સારવાર આપી રહ્યા છે. અને ઓક્સીજનની પડતી મોટી હાલાકીને લઈ ઓક્સીજન પ્લાન્ટ નાખવાની પણ તજવીજ હાથ ધરાઈ છે. જયારે વેન્ટિલેટર વગર કોરોના દર્દીઓના મોત નીપજી રહ્યા છે. તેને હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ પણ સમર્થન આપી રહ્યા છે. ત્યારે સરકાર વેન્ટિલેટર સહીત તેના તબીબોની નિષ્ણાત ટીમ અને લેબોરેટરી આપે તો આ હોસ્પિટલમાં વેન્ટિલેટરની સુવિધા થઇ શકે તેમ છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

આ જનરલ હોસ્પિટલમાં દર્દીઓ સહીત તેમના સગાવાલાઓને જમવાની વ્યવસ્થા અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પુરી પાડવામાં આવી રહી છે. જેને અંબાજીના સ્વંય સેવકો પણ ટેકો કરી રહ્યા છે.અને હાલ વધતા જતા દર્દીઓને ધ્યાનમાં રાખી વધુ 30 બેડ ઓક્સીજન વાળા તૈયાર કરાઈ રહ્યા છે.અને જરૂર પડશે તો આ હોસ્પિટલમાં 100થી 150 બેડની પણ સુવિધા કરવામાં આવશે.

Latest News Updates

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
g clip-path="url(#clip0_868_265)">