Banaskantha: કોરોનાકાળમાં આર્થિક સંકડામણના કારણે વાલીઓ મજબૂર, સંતાનોનું ખાનગી શાળામાંથી સરકારી શાળામાં સ્થળાંતર

છેલ્લા બે વર્ષમાં ૩૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં સ્થળાંતર કર્યું છે. વાલીઓ પણ કહી રહ્યા છે કે આર્થિક સ્થિતિ મજબૂત ન હોવાથી બાળકોને સરકારી શાળામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

Banaskantha:  કોરોનાકાળમાં આર્થિક સંકડામણના કારણે વાલીઓ મજબૂર, સંતાનોનું ખાનગી શાળામાંથી સરકારી શાળામાં સ્થળાંતર
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
Kuldeep Parmar
| Edited By: | Updated on: Jul 06, 2021 | 12:40 PM

Banaskantha: કોરોના મહામારી બાદ સૌથી કફોડી પદ્ધતિ ખાનગી શાળામાં અભ્યાસ કરાવતા બાળકોના વાલીઓની થઈ છે. એક તરફ શાળાઓ બંધ છે જ્યારે બીજી તરફ ખાનગી શાળાઓ ઓનલાઈન શિક્ષણના નામે માતબર ફી વસૂલી રહી છે. જેના કારણે જે લોકોના ધંધા-રોજગાર ઠપ્પ થયા છે.

તેમને બાળકો કઈ રીતે ભણાવવા તે સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે. જ્યારે બીજી તરફ ખાનગી શાળા છોડી સરકારી શાળા તરફ વળતા બાળકોને મામલે સરકાર પોતાની વાહવાહી કરી રહી છે. વિદ્યાર્થીઓનું ખાનગી શાળા છોડી સરકારી શાળા તરફનું સ્થળાંતર ગુણવત્તાયુક્ત શિક્ષણ નહીં પરંતુ વાલીઓની આર્થિક સંકડામણ છે.

કોરોના મહામારીની સૌથી મોટી અસર ધંધા-રોજગાર પડી છે. અનેક એવા લોકો છે જેના ધંધા-રોજગાર ઠપ્પ થયા છે. જેના કારણે આવકના સ્ત્રોત બંધ છે. આવક બંધ થઇ જતાં વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છેમ ધંધા-રોજગાર ચાલુ હતા. ત્યારે વાલીઓ બાળકોને ખાનગી શાળામાં ભણાવવાનું વધુ પસંદ કરતા હતા. પરંતુ હવે આર્થિક સંકડામણ અને ધંધા-રોજગાર ઠપ્પ થઈ જતા વાલીઓ સરકારી શાળાઓમાં બાળકોને પ્રવેશ આવી રહ્યા છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો છેલ્લા બે વર્ષમાં ૩૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં સ્થળાંતર કર્યું છે. વાલીઓ પણ કહી રહ્યા છે કે આર્થિક સ્થિતિ મજબૂત ન હોવાથી બાળકોને સરકારી શાળામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ફી નું બહાનું બનાવી ખાનગી શાળાઓ લિવિંગ સર્ટિફિકેટ પણ આપતી નથી. જેના કારણે વાલીઓને મોટી મુશ્કેલી નો સામનો કરવો પડે છે. અનેક બાળકો બે વર્ષથી શિક્ષણ મેળવી શક્યા નથી.

ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ 2020 :- 2237 વિદ્યાર્થીઓ 2021 :- 1674 વિદ્યાર્થીઓ

ખાનગી શાળાઓથી સરકારી શાળામાં સ્થળાંતર કરતા બાળકો મામલે સરકાર વાહવાહી લૂંટી રહી છે. સરકારના સત્તાધીશો કહી રહ્યા છે કે ભૌતિક સુખ-સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણના કારણે બાળકો ખાનગી શાળા છોડી સરકારી શાળામાં આવી રહ્યા છે. ત્યારે સવાલ એ છે કે છેલ્લા બે વર્ષથી શાળાઓ બંધ પડી છે બનાસકાંઠાની એક પણ શાળામાં સરકાર દ્વારા કોઈ અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં નથી આવ્યું. તો બાળકો અને વાલીઓને એકાએક સરકારી શાળાનો મોહ ક્યાંથી લાગ્યો હશે ? જ્યારે બીજી તરફ સત્તાધીશોએ પણ સ્વીકારી રહ્યા છે કે આર્થિક સંકડામણને કારણે વાલીઓ સરકારી શાળામાં બાળકોને ભણાવી રહ્યા છે.

કોરોના મહામારી બાદ અનેક પરિવારો એવા છે જે પોતાના બાળકોને ખાનગી શાળામાં ભણાવી શકે તેવી આર્થિક સ્થિતિ ધરાવતા નથી. જેના કારણે મજબૂર થઈ બાળકોને ખાનગી શાળા છોડાવી સરકારી શાળાઓમાં શિક્ષણ માટે સ્થળાંતર કરાવી રહ્યા છે.

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">