Banaskantha: અમદાવાદ-પાલનુપર હાઈવે પર ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 3 મોત, 25 ઘાયલ

વહેલી સવારે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેને લઈ અમદાવાદ-પાલનપુર હાઈવે પર ટ્રાફીક જામ થઈ જવા પામ્યો હતો. ઈજાગ્રસ્તોને 108 મારફતે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Banaskantha: અમદાવાદ-પાલનુપર હાઈવે પર ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 3 મોત, 25 ઘાયલ
કાણોદર નજીક વહેલી સવારે સર્જાયો હતો અકસ્માત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 15, 2022 | 11:22 AM

બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના કાણોદર નજીક ગમખ્વાર અકસ્માત બસ અને ટ્રક (Bus-Truck Accident) વચ્ચે સર્જાયો છે. હાઈવ પર ઉભેલી ટ્રકની પાછળ ધડાકાભેર ખાનગી બસ અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘટના સ્થળ પર જ 3 લકોનો મોન નિપજ્યા હતા. ઘટનામાં 25 થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. ઘાયલોને નજીકની સરકારી હોસ્પિટલ તથા પાલનપુરની સિવિલ હોસ્પિટલ (Palanpur Civil Hospital) માં ખસેડવામાં આવ્યા છે. જેમાં ગંભિર રીતે ઘાયલોની સ્થિતી સ્થિર હોવાનુ સિવિલ સત્તાવાળાના સુત્રો તરફથી જાણવા મળ્યુ હતુ. ઘટના પગલે સ્થાનિક પોલીસે પહોંચીને બચાવ માટેની પ્રાથમિક કામગીરી હાથ ધરી હતી.

વહેલી સવારે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાનના રામસીન થી અમદાવાદ આવી રહેલી ખાનગી બસ મુસાફરોથી ભરેલી હતી. ખાનગી બસના ચાલકની ચૂકને લઈને બસ આગળ ઉભેલી ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં ઘટના સ્થળે જ ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. અકસ્માતમાં 25 થી વધારે મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો અને અન્ય વાહનચાલકોએ ઘટનાને લઈ મદદ માટે દોડી જઈ ઈજાગ્રસ્તોને બચાવવા માટેની કામગીરી હાથ ઘરી હતી. સાથે જ સ્થાનિક પોલીસ અને 108ની મદદ મેળવવા કોલ કરાયો હતો.

ઘટનાને પગલે સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને પોલીસના જવાનો પણ બચાવ કામગીરીમાં જોડાયા હતા. ઇજાગસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે સ્થાનિક સરકારી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. કેટલાક ગંભિર ઈજાગસ્તોને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં જે પૈકીના કેટલાક ગંભિગ રીતે ઘાયલ થયેલા મુસાફરોની સ્થિતી સ્થિર છે, તો કેટલાકની સ્થિતી નિયંત્રણ હેઠળ હોવાનુ સિવિલ હોસ્પિટલના સુત્રો દ્વારા જાણકારી અપાઈ હતી. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ દ્વારા તપાસની કાર્યવાહી શરુ કરવામાં આવી છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

અકસ્માતમાં કોની બેદરકારી?

ગમખ્વાર અકસ્માતમાં બચાવ કામગીરી પૂર્ણ કર્યા બાદ અકસ્માત માટેના કારણને જાણવા માટેની પ્રાથમિક તપાસ શરુ કરી છે. અકસ્માતમાં કોની બેદરકારી હતી એ શોધવા માટે એફએએસ અને મોટર વાહન નિરીક્ષકની મદદ લઈને તપાસ હાથ ધરાઈ છે. જે મુજબ હાઇવે પર આગળ ઉભેલી એરંડા ભરેલી ટ્રક જોખમી રીતે તેના ચાલકે ઉભી રાખી હતી અને સાથે જ તેણે બેક લાઈટ અને અન્ય રાત્રી દરમ્યાન ઈન્ડિકેટ કરનારા ઉપકરણોનો ઉપયોગ કર્યો હતો કે કેમ તે પણ ચકાસવામાં આવશે. સાથે જ ખાનગી બસના ચાલકે પણ ચૂક કરીને આગળ ઉભેલી ટ્રક જોઈ નહોતી કે કેમ તે પણ તપાસમાં અકસ્માતના કારણ અંગે તપાસવમાં આવશે. જોકે હાલતો ગુનો નોંધી તપાસ કાર્યવાહી શરુ કરી દેવામાં આવી છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">