અવિરત મેઘમહેર વચ્ચે સૌરાષ્ટ્રનાં મોટાભાગનાં ડેમ છલકાયા,સૌથી વધુ પાણી સૌરાષ્ટ્રના ડેમોમાં 82.76 ટકા સંગ્રહ થયું,રાજ્યમાં જળાશયોમાં પાણીનો જથ્થો 61.31 ટકા પર પહોંચ્યો
વરસાદ સારો પડે, તો સૌથી વધુ લાભ ઉનાળામાં થાય.. પીવાનું પાણી મળે અને ખેડૂતોને પણ સિંચાઈના પાણીને ખેંચ ન રહે. અત્યારે થઈ રહેલા સારા વરસાદથી રાજ્યના અનેક ડેમોમાં પાણીની આવક થઈ રહી છે. જો કે, કેટલાક ડેમ છલકાઈ પણ પડ્યા છે. રાજકોટનો આજી-1 ડેમ 16મી વખત ઓવરફ્લો થયો છે. તો ગોંડલનો મોતીસર ડેમ પણ છલકાયો […]
વરસાદ સારો પડે, તો સૌથી વધુ લાભ ઉનાળામાં થાય.. પીવાનું પાણી મળે અને ખેડૂતોને પણ સિંચાઈના પાણીને ખેંચ ન રહે. અત્યારે થઈ રહેલા સારા વરસાદથી રાજ્યના અનેક ડેમોમાં પાણીની આવક થઈ રહી છે. જો કે, કેટલાક ડેમ છલકાઈ પણ પડ્યા છે. રાજકોટનો આજી-1 ડેમ 16મી વખત ઓવરફ્લો થયો છે. તો ગોંડલનો મોતીસર ડેમ પણ છલકાયો છે. આ તરફ જામનગર જિલ્લામાં આવેલો અને કાલાવડનો જીવાદોરી સમાન બાલાભડી ડેમ પણ ઓવરફ્લો થયો છે. તો જામનગર જિલ્લામાં માળિયા હાટીનામાં આવેલા બે ડેમ, વ્રજમી અને ભાખરવડ પણ પાણીની વધુ આવકથી છલકાયા છે. રાજ્યમાં જળાશયોમાં પાણીનો જથ્થો 61.31 ટકા પર પહોંચ્યો છે જે પૈકી સૌથી વધુ પાણી સૌરાષ્ટ્રના ડેમોમાં 82.76 ટકા, દક્ષિણ ગુજરાતના ડેમમાં 74.45, કચ્છના ડેમોમાં 45.75, મધ્ય ગુજરાતના ડેમોમાં 42.93 ટકા પાણી સંગ્રહ થયું છે. જ્યારે કે નર્મદા ડેમમાં પાણીનો સંગ્રહ 55 ટકા પર પહોંચ્યો છે. આ સાથે જ 90 ટકાથી વધુ જળ સંગ્રહ ધરાવતા 101 ડેમ હાઈ એલર્ટ પર છે. રાજ્યના 83 ડેમ લગભગ સંપૂર્ણ રીતે ભરાઈ ગયા છે, 80થી 90 ટકા જળ સંગ્રહ ધરાવતા 9 ડેમ એલર્ટ પર રખાયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો