Aravalli: પિતા થયો ત્રણ સંતાનનો હત્યારો, એક બાદ એક ત્રણ બાળકોને પાણી ડૂબાડી હત્યા કરી દીધી, આ પહેલા પત્નિની હત્યાનો પ્રયાસ કર્યો હતો

નજીકમાં જ રહેલા વૈડી જળાશય (Vaidi Dame)ના પાણીમાં તેણે એક પુત્ર અને બે પુત્રીઓ સહિત ત્રણેયને પાણીમાં નાંખી દિધા હતા. જેમાં તે ડુબી જતા મોતને ભેટ્યા હતા.

Aravalli: પિતા થયો ત્રણ સંતાનનો હત્યારો, એક બાદ એક ત્રણ બાળકોને પાણી ડૂબાડી હત્યા કરી દીધી, આ પહેલા પત્નિની હત્યાનો પ્રયાસ કર્યો હતો
Isari PoliceStation
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 06, 2021 | 7:05 AM

અરવલ્લી (Aravalli) ના મેઘરજ તાલુકાના રમાડ ગામનો આ બનાવ કાળજાને હચમચાવી નાંખનાર છે. શંકાશીલ સ્વભાવના પિતાએ પોતાના જ ત્રણ બાળકોને પાણીમાં ફેંકી દઇ મોત નિપજાવી હત્યા કરી દીધી છે. પત્નિની હત્યા કરીને પોતે પણ હત્યા કરવાનો પ્રયાસ કરતા હત્યારા પિતાને સારવાર અર્થે ખસેડાયો છે. જ્યારે તેની પત્નિ કુહાડીના ઘાને લઇ હિંમતનગર (Himmatnagar) સારવાર હેઠળ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી છે.

આ ઘટના સાંભળીને હ્રદયમાં કંપારી છુટી જશે. કોઇ પિતા તેના વ્હાલસોયાની કેવી રીતે હત્યા કરી શકે. પરંતુ આ હત્યારા પિતાએ એક નહી ત્રણ ત્રણ સંતાનોની હત્યા કરી દીધી છે. વાત છે, મેઘરજ તાલુકાના રમાડ ગામની. ગામના જીવાભાઇ કચરાભાઇ ડેંડૂણને પોતાની પત્નિ પર શંકા હતી. જે શંકાની સજા તેણે પોતાના ત્રણેય સંતાનો આપી છે.

શંકાશીલ સ્વભાવના જીવાભાઇ એ તેની પત્નિને કુહાડીના ઘા માર્યા હતાં. માંથામાં કુહાડીના ઘા મારવાથી તેની પત્ની બેભાન જેવી અવસ્થામાં હતી. તેના મનમાં એમ કે પત્નિનુ મોત નિપજી ચુક્યુ છે. ત્યાર બાદ નજીકમાં જ રહેલા વૈડી જળાશયના પાણીમાં તેણે એક પુત્ર અને બે પુત્રીઓ સહિત ત્રણેયને પાણીમાં નાંખી દિધા હતા. જેમાં તે ડુબી જતા મોતને ભેટ્યા હતા.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

હત્યારા એ પણ આત્મહત્યાનો કર્યો પ્રયાસ

પત્નિની હત્યાનો પ્રયાસ અને ત્રણ સંતાનોની હત્યા બાદ કચરા ડેડૂણે જાતે પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો અને તે પણ પાણીમાં ડૂબ્યો હતો. પરંતુ સ્થાનિકોએ કોલાહલથી દોડી આવતા તેને બહાર કાઢયો હતો. જેમાં તે જીવતો મળ્યો હતો અને બાકીના બાળકોને બહાર કાઢતા તે મૃત હોવાનુ જણાયુ હતુ. જીવા ડેડૂણને સારવાર હેઠળ મોડાસા ખાતે ખસેડાયો હતો.

જીવાભાઈ કચરાભાઈ ડેંડુણ પત્ની જીવીબેન પર વહેમ રાખી અવાર-નવાર મારઝૂડ કરતો હતો. વહેમીલા સ્વભાવના કારણે ઘરકંકાસ થતો રહેતો હતો. જીવા એ પત્ની સાથે ઝગડો કરી માથાના તેમજ શરીરના અન્ય ભાગો પર કુહાડીના જીવલેણ ઘા ઝીંકી દીધા હતા. ઇસરી પોલીસે ત્રણે મૃતક બાળકોના મૃતદેહને પાણી માંથી બહાર કાઢી પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

DySP ની દેખરેખ હેઠળ તપાસ

એસસી એસટી સેલના ડીવાયએસપી વિશાલ રબારી એ કહ્યુ હતુ, આ અંગેની ફરીયાદ અમે નોંધી છે. એક બાળક 9 વર્ષ બીજુ 7 વર્ષ અને ત્રીજુ 2 વર્ષનુ હતુ. આ અંગે હત્યાનો ગુન્હો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. આરોપી હાલમાં સારવાર હેઠળ છે. જે સારવાર બાદ તેની ધરપકડ કરાશે.

મેઘરજના ઇસરી પોલીસે ઘટનનાને લઇ આરોપી હત્યારા પિતા સામે ત્રણ હત્યા અને એક હત્યાની પ્રયાસનો ગુન્હો દર્જ કરીને તપાસ હાથ ધરી છે. પોલીસ આરોપી જીવા ડેડૂણના સાજા થવાની રાહ જોઇ રહી છે. તે સાજો થતા જ તેની ધરપકડ કરી લેવાશે.

આ પણ વાંચોઃ IND vs ENG: ઋષભ પંતે કોને કહી દીધુ આવુ કે, ઉંમર અને બાલ બંને ઝડપથી પસાર થઇ રહ્યા છે, વળતો જવાબ કંઇક આવો મળ્યો

આ પણ વાંચોઃ Tokyo Paralympics: પીએમ મોદીએ રેકોર્ડ મેડલ જીતવા પર આપી શુભેચ્છા, કહ્યુ દરેક ભારતીયો સાથેની યાદો સાથે જોડાયેલ રહેશે

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">