Shamlaji: શામળાજીમાં પ્લાસ્ટીક, ગુટકા, તમાકુ, પાન-મસાલાના વેચાણ અને પરીસરમાં લઈ આવવા પર પ્રતિબંધ

શામળાજી મંદિર (Shamlaji Temple) ની પવિત્રતા જાળવવા માટે મંદિર વિસ્તારમાં ગુટખા અને પાનમસાલાના ઉપયોગ પર નિયંત્રણ જરુરી હતુ, જેને લઈ જિલ્લા ક્લેકટરે (Aravalli Collector) જાહેરનામુ બહાર પાડીને પ્રતિબંધ મુક્યો છે.

Shamlaji: શામળાજીમાં પ્લાસ્ટીક, ગુટકા, તમાકુ, પાન-મસાલાના વેચાણ અને પરીસરમાં લઈ આવવા પર પ્રતિબંધ
Shamlaji Temple વિસ્તારની પવિત્રતા જાળવવી જરુરી
Follow Us:
| Updated on: Sep 22, 2022 | 9:26 PM

અરવલ્લી (Aravalli) જિલ્લામાં આવેલ પ્રસિદ્ધ શામળાજી મંદિરે શ્રદ્ધાળુઓનો ધસારો મોટા પ્રમાણમાં રહે છે. પૂર્ણિમા અને જન્માષ્ટમી જેવા તહેવારોએ તો શામળાજીમાં ખૂબ જ ભીડ ઉભરાતી હોય છે. ગુજરાત અને રાજસ્થાનથી અહી નિયમીત શ્રદ્ધાળુઓ દર્શને આવતા હોય છે. શામળાજી વિષ્ણું મંદિર (Shamlaji Vishnu Temple) માં ભગવાનના દર્શન કરીને ભક્તો ધન્યતાની લાગણી અનુભવતા હોય છે. ભગવાન વિષ્ણું એટલે કે કાળીયા ઠાકરના દર્શન કરવા આવનાર ભક્તો શામળાજી (Shamlaji) ને સ્વચ્છ હોવાની અપેક્ષા રાખતા હોય છે. જે પ્રમાણે જ શામળાજી મંદિર પરિસર વિસ્તાર અને આસપાસના 100 મીટર વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટીક અને ગુટખા તમાકુનુ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

જિલ્લા કલેકટર દ્વારા આ અંગે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. જે મુજબ હવે શામળાજીમાં મંદિર પરિસર વિસ્તાર અને તેની આસપાસના વિસ્તારમાં હવે ગુટખા અને પાન-મસાલાનુ વેચાણ પણ થઈ શકશે નહીં. આ ઉપરાંત સિંગલ યુઝ પ્લાસ્ટીક બેગના ઉપયોગ પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

જેને લઈ શામળાજી વિષ્ણું મંદીરના ટ્રસ્ટી સિદ્ધાર્થ પટેલે જણાવ્યુ હતુ કે, મંદિર પરીસરમાં સ્વચ્છતા રહે તે જરુરી છે. પવિત્ર મંદિર પરીસરમાં સ્વચ્છતા જળવાય એ માટે ટ્રસ્ટ અને રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયાસ કરવામાં આવે છે. જાહેરનામા બાદ હવે મંદિર પરીસરમાં ગુટખા અને તમાકુ અને પાન-મસાલા લઈ આવતા અટકાવવા માટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. જેથી મંદીરની પવિત્રતતા જાળવી શકાય.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

સ્વચ્છતા અને પર્યાવરણને લઈ જાહેરનામુ બહાર પાડ્યુ

તાજેતરમાં ભાદરવી પૂર્ણીમાંએ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી હતી. તેમજ દિવાળીના તહેવારો આવી રહ્યા છે. નવાવર્ષના દિવસે તેમજ કાર્તિકી અગિયારસ અને કાર્તિકી પૂર્ણિમાના મેળાનુ વિશેષ મહત્વ હોય છે. જેને લઈ એ દિવસોમાં ભક્તોની ભીડ મોટા પ્રમાણમાં ઉમટતી હોય છે. આમ મંદિર પરીસર અને આસપાસના વિસ્તારમાં ગંદકી ના થાય અને પાન મસાલા અને ગુટખાનુ સેવન કરી પરીસર વિસ્તારમાં થૂંકીને ગંદકી ફેલાવતા અટકાવવા માટે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે.

બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ શામળાજી વિષ્ણું મંદિર ટ્રસ્ટ દ્વારા દરખાસ્ત કરવામાં આવતા જિલ્લા કલેકટર દ્વારા આ અંગે જાહેરનામુ બહાર પાડ્યુ છે. જે મુજબ પર્યાવરણની જાળવણી અને ગંદકીને અટકાવવા માટે આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ અંગેનુ જાહેરનામુ આગામી નવેમ્બર માસનુ 20 તારીખ સુધી અમલમાં રહેશે અને જરુર મુજબ નવુ જાહેરનામુ સમાપ્ત થવા બાદ ફરીથી બહાર પાડવામાં આવી શકે છે.

કલમ 188 મુજબ કાર્યવાહી કરાશે

કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો ભંગ કરનારાઓ વિરુદ્ધ પોલીસ દ્વારા ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ ઉપરાંત, સ્થાનિક પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓ પણ જાહેરનામા ભંગ કરનાર સામે કાર્યવાહી કરી શકશે. કલમ 188 મુજબ ફરિયાદ દર્જ કરવા માટે જોગવાઈ જાહેરનામા દ્વારા કરવામાં આવી છે.

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">