અંકલેશ્વરના ચકચારી ટ્રાવેલ બેગ હત્યાકાંડમાં બાંગ્લાદેશી આતંકી સહીત બે લોકોને મકાન ભાડે આપનાર 2 મકાન માલિકો સામે ગુનો નોંધાયો

અંકલેશ્વર ટ્રાવેલ બેગ હત્યાકાંડમાંમાં સંડોવાયેલા આરોપીઓ ગેરકાયદેસર વસવાટ કરતા હતા. મકાન માલિકોએ ભાડુઆતો અંગે પોલીસને જાણ નહિ કરી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામના ભંગ બદલ અંકલેશ્વર શહેર અને જીઆઇડીસી પોલીસે મકાન માલિકો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ચકચારી  ટ્રાવેલ બેગ  હત્યાકાંડમાં બાંગ્લાદેશી આતંકી સહીત બે લોકોને મકાન ભાડે આપનાર 2 મકાન માલિકો સામે ગુનો નોંધાયો
Police have filed charges against negligent homeowners following the massacre
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2021 | 8:35 AM

અંકલેશ્વરની ચકચારી ટ્રાવેલ બેગ હત્યાકાંડમાં બાંગ્લાદેશી ઘુષણખોરોને પોલીસ વેરિફિકેશન વગર મકાન ભાડે આપનાર બે મકાનમાલિકો વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો છે. આ બે મકાન માલિકો સામે બાંગ્લાદેશી આતંકવાદી સહીત હત્યાકાંડમાં સંડોવાયેલી મહિલા આરોપીને પોલીસ વેરિફિકેશન વગર ભાડેથી મકાન આપ્યા હતા.

અંકલેશ્વર ટ્રાવેલ બેગ હત્યાકાંડમાંમાં સંડોવાયેલા આરોપીઓ ગેરકાયદેસર વસવાટ કરતા હતા. હત્યાના ગુનામાં 3 બાંગ્લાદેશી અને એક સ્થાનિક રીક્ષા ચાલક ઝડપાયા હતા. છેલ્લા 10 થી 12 વર્ષથી ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ રહેતા બાંગ્લાદેશીઓની તપાસમાં અજોમ સમસુ આયનુદીન શેખ બાંગ્લાદેશી આતંકવાદી હોવાનો અને 4 હત્યા સહિત બેંક લૂંટ અને અનેક ભાંગફોડ બાંગ્લાદેશમાં કરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

હત્યારો અજોમ શેખ અંકલેશ્વરના કાગદીવાડ વિસ્તારમાં સીદીક હાઝી ફકીર મોહમદ કુરેશીના મકાનમાં ભાડેથી રહેતો હતો. જ્યારે મહિલા બાંગ્લાદેશી આરોપી લેસીના ઝાકીર અબ્દુલ મુલ્લા હાલ રહે. મંગલદિપ સોસાયટી મીરાનગર રાજપીપલા રોડ સારંગપુર, અંકલેશ્વર હેમંતભાઈ ઉર્ફે લાલો બંસીલાલ મોદીના મકાનમાં ભાડેથી રહેતી હતી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

બન્ને મકાન માલિકોએ ભાડુઆતો અંગે પોલીસને જાણ નહિ કરી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામના ભંગ બદલ અંકલેશ્વર શહેર અને જીઆઇડીસી પોલીસે મકાન માલિકો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બાંગ્લા આતંકી સંગઠનના સભ્ય એવા અજોમ શેખની સાથે ગુજરાતમાં અને ભરૂચ તેમજ અંકલેશ્વરમાં પણ અન્ય કોઈ અવેધ રીતે રહેતા બાંગ્લાદેશીઓ સંકળાયેલા છે કે નહીં તેની પણ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.

શું હતો ટ્રાવેલબેગ હત્યાકાંડ? બાંગ્લાદેશી ઘુષણખોરીનો લીડર અકબર આ ઘુસણખોરોને તેનું કમાણીનું સાધન બનાવવા લાગ્યો હતો અને પોલીસ પાસે પકડાવી દેવાની ધમકી આપી પૈસા પડાવતો હતો.અમદાવાદમાં રહેતા અકબરને પૈસાના બહાને અંકલેશ્વર લેસીના મુલ્લાના ઘરે બોલાવાયો હતો. અહીં ભોજનમાં ઊંઘની ગોળીઓ નાખી અકબરને ખવડાવી બેભાન કરી નખાયો હતો. કમાણીનો મોટો હિસ્સો પડાવી જતા અકબરના ત્રાસનો કાયમી હલ કાઢવા તેની તીક્ષણ હથિયારથી હત્યા કરી નાખી હતી. રોષ હજુ શાંત ન થતા અકબરના શરીરના ૬ ટુકડા કરી નખાયા હતા.ત્રણ ટ્રાવેલ બેગ પૈકી એકમાં બે હાથ , બીજીમાં બે પગ અને ત્રીજી બેગમાં ધડ ભરી અલગ અલગ વિસ્તરમાં બેગ ફેંકી હતી.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">