Khambhat: રામનવમીની શોભાયાત્રા પર હુમલાની તપાસ માટે SITની રચના, 9 આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા

આણંદમાં (Anand) રામ નવમીના દિવસે શક્કરપુરામાં શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે રામ નવમીની શોભાયાત્રાની મંજૂરી મળ્યા બાદ જ આ હિંસા (Violence) ફેલાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ હિંસામાં 3 મૌલવી અને અન્ય બે શખ્સોએ આ ષડયંત્ર ઘડ્યું હતુ.

Khambhat: રામનવમીની શોભાયાત્રા પર હુમલાની તપાસ માટે SITની રચના, 9 આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા
Khambhat Violence, Court grants 4 day remand of accused
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2022 | 4:50 PM

રામનવમી (Ram Navmi)ના દિવસે શોભાયાત્રા દરમિયાન ખંભાત (Khambhat)માં કોમી છમકલા થયાં હતા. આ કેસની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. તો ખંભાત હિંસા કેસના આરોપીઓને રિમાન્ડ પર મોકલાયા છે. 9 આરોપીઓના કોર્ટે આગામી 16 એપ્રિલ બપોર સુધી એટલે કે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જેમાં ખંભાતમાં થયેલી હિંસા અંગે ગુજરાત પોલીસે (Gujarat Police) મોટા ખુલાસા કર્યા છે. શોભાયાત્રા પર હુમલા બાદ પોલીસે 9 આરોપીઓની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ માટે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા..પરંતુ કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન પોલીસ હુમલાનું કાવતરું કોના ઈશારા પર રચાયું. હુમલાના કાવતરામાં અન્ય કોઇ રાજ્યના લોકો સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરશે.. પોલીસ તપાસ બાદ જ હુમલા અંગેનું સત્ય બહાર આવશે.લીસ તપાસ કરશે. પોલીસ તપાસ બાદ જ હુમલા અંગેનું સત્ય બહાર આવશે.

આણંદમાં રામ નવમીના દિવસે શક્કરપુરામાં શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે, રામનવમીની શોભાયાત્રાની મંજૂરી મળ્યા બાદ જ આ હિંસા (Violence) ફેલાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ હિંસામાં 3 મૌલવી અને અન્ય બે શખ્સોએ આ ષડયંત્ર ઘડ્યું હતુ. આ ષડયંત્રને પાર પાડવા માટે બહારથી લોકોને બોલાવવામાં આવ્યા હતા. જેથી સમગ્ર કેસની તપાસ હવે SIT કરશે.

મળતી માહિતી પ્રમાણે આ લોકોએ રામનવમીના આગળના દિવસે એટલે કે શનિવારે જ આ આખા ષડયંત્રને બનાવવામાં આવ્યો હતો. આ ષડયંત્ર માટે ખંભાતની બહારથી માણસો બોલાવવામાં આવ્યા હતા. કારણ કે, ખંભાતના જ લોકો હોય તો તેમની ઓળખ થઈ શકે છે. તે માટે ખંભાતની બહારના લોકોને બોલાવવામાં આવ્યા હતા. જોકે, આ એક બાદ એક આ લોકોની ઓળખ થઈ રહી છે. આ લોકો પર વૈમન્સ્ય ફેલાવવાનો, હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

આ ષડયંત્રમાં કેટલા લોકોને બહારથી લાવવામાં આવ્યા હતા અને તેમને કયા કામ સોંપ્યા હતા, તે પોલીસ તપાસમાં સામે આવી ગયું છે. આ કેસમાં આ લોકોને કોણ રૂપિયાની મદદ કરતું હતું તે અંગે પણ મૌલવીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. આવા કાવતરાને અંજામ આપવા માટે રૂપિયા ક્યાંથી, કઈ રીતે અને કોણે આપ્યા એ જાણવું પણ ઘણું જ અગત્યનું છે.

આ પણ વાંચો- હાર્દિક પટેલે કહ્યું, ચૂંટણી તો લડીશ જ, પણ ચૂંટણીને સાત મહિનાની વાર છે, ક્યાંથી લડીશ તે નક્કી નથી

આ પણ વાંચો-નડિયાદમાં તાન્યા અપહરણ અને હત્યાં કેસમાં આરોપી મિત પટેલ, તેની માતા અને ભાઈને આજીવન કેદની સજા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">