Anand : ગાયના પેટમાંથી નીકળ્યા આઇસ્ક્રીમ કપ અને ચમચીઓ, પેટમાંથી કાઢ્યુ 77 કિલો પ્લાસ્ટિક

જે પ્લાસ્ટિકનો કચરો કાઢવામાં આવ્યો છે તે મોટાભાગનો કચરો એવો છે કે જે લોકો ભોજન લીધા પછી રસ્તા પર ફેંકી દે છે

Anand : ગાયના પેટમાંથી નીકળ્યા આઇસ્ક્રીમ કપ અને ચમચીઓ, પેટમાંથી કાઢ્યુ 77 કિલો પ્લાસ્ટિક
પ્લાસ્ટિક આરોગતી ગાયની પ્રતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 02, 2021 | 12:40 PM

Anand: પ્લાસ્ટીકનો વધતો જતો ઉપયોગ મૂંગા પશુઓ માટે વધુને વધુ નુકસાનકારક સાબિત થઈ રહ્યું છે. રખડતી ગાયો ખુલ્લામાં ફેંકવામાં આવતા પ્લાસ્ટિક (Plastic) ના કચરાને ખાવાનું પહેલા પસંદ કરે છે. તાજેતરમાં, એક બીમાર ગાય (Cow) તેના પેટમાં 77 કિલો પ્લાસ્ટિકનો કચરો હોવાની જાણકારી મળી હતી. ગુજરાત (Gujarat) ના આણંદ (Anand) જિલ્લામાં પશુચિકિત્સકોએ ગાયના પેટમાંથી કચરો દૂર કર્યો હતો જેમાં આઈસ્ક્રીમના કપ, ચમચી અને પ્લાસ્ટિકના કપનો સમાવેશ થાય છે.

એક મીડિયાના અહેવાલમાં જણાવાયું હતું. પશુચિકિત્સકોની ટીમ દ્વારા આણંદની વેટરનરી હોસ્પિટલમાં અઢી કલાક સુધી સર્જરી કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, એક સેવા સંસ્થા બીમાર ગાયને હોસ્પિટલમાં લાવી હતી. સર્જરી ટીમનો એક ભાગ રહેલા ડૉ. પિનેશ પરીખને ટાંકીને મીડિયા રિપોર્ટમાં જણાવ્યું છે કે ગાયના પેટમાંથી જે પ્લાસ્ટિકનો કચરો કાઢવામાં આવ્યો છે તે મોટાભાગનો કચરો એવો છે કે જે લોકો ભોજન લીધા પછી રસ્તા પર ફેંકી દે છે. જો કે, લોકો એ હકીકત પર કોઈ વિચાર કરતા નથી કે રખડતી ગાયો, ખોરાકની શોધમાં, અકસ્માતે પ્લાસ્ટિકને આરોગી લે છે.

લોકોની આવી બેદરકારીને કારણે પશુઓ પ્લાસ્ટિક ખાવાથી બીમાર પડે છે. એકલા આણંદની આ પશુ ચિકિત્સાલયમાં દર અઠવાડિયે 3-4 કેસો બીમાર ગાયો આવે છે જેઓ રસ્તાની બાજુના કચરામાંથી પ્લાસ્ટિક ખાતી હોય છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

કામધેનુ યુનિવર્સિટી સાથે સંલગ્ન વેટરનરી કોલેજના વેટરનરી અને રેડિયોલોજી વિભાગના વડા ડૉ. પરીખને ટાંકીને મીડિયા રિપોર્ટમાં જણાવ્યું છે કે, “દર વખતે, કચરો 10 કિલોથી 55-60 કિલો સુધી હોય છે. અમે એવા કિસ્સાઓ પણ જોયા છે કે જ્યાં ગાયોએ આકસ્મિક રીતે પ્લાસ્ટિકના દોરડા ખાઈ લીધા હોય જેને લોકો સામાન્ય રીતે ફેંકી દે છે અથવા રસ્તા પર ફેંકી દે છે,”

પ્લાસ્ટિકનો કચરો રખડતાં ઢોરોને કેવી રીતે અસર કરે છે તે સમજાવતાં ડૉ. પરીખે જણાવ્યું હતું કે, ગાય પ્લાસ્ટિકનું સેવન કર્યા પછી અપચોની સમસ્યા પેદા કરે છે. પ્લાસ્ટિકને પચાવી શકાતું ન હોવાથી, ગાયોની પાચન શક્તિ આખરે ઓછી થઈ જાય છે, જેના કારણે તેઓ બીમાર પડે છે.

આ પણ વાંચો: IND vs NZ: મુંબઇ ટેસ્ટમાં સૌની નજર અશ્વિન પર રહેશે ટકી, રિચર્ડ હેડલીને આ મામલે મુકી શકે છે પાછળ

આ પણ વાંચો: હવે WhatsApp ની મદદથી પણ ખોલી શકો છો Demat Account, IPO માટે પણ કરી શકાશે એપ્લાય

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">