Anand: પ્રધાનમંત્રી જનવિકાસ કાર્યક્રમ અંતર્ગત ચાલતા કામો ઝડપથી પૂર્ણ કરવા જિલ્લા કલેકટરે તાકીદ કરી
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા જિલ્લા કલેકટર મનોજ દક્ષિણીના અધ્યક્ષસ્થાને યોજાયેલ સમીક્ષા બેઠકમાં વિવિધ કચેરીઓ દ્વારા લઘુમતી જાતિઓ માટે યોજનાવાર કરવામાં આવેલ ખર્ચની સમીક્ષા અને લાભાર્થીઓને આપવામાં આવેલ લાભ વિશેની વિગતવાર ચર્ચા કરી હતી
આણંદ (Anand) જિલ્લા કલેકટર (Collector) મનોજ દક્ષિણીએ સમાજ કલ્યાણ વિભાગ દ્વારા લઘુમતીના વિકાસ માટે કાર્યરત પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમની સમીક્ષા કરતાં જે કામો ચાલી રહ્યા છે તે કામો ઝડપથી પૂર્ણ થાય તે જોવાનો સંબંધિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો.
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા જિલ્લા કલેકટર મનોજ દક્ષિણીના અધ્યક્ષસ્થાને યોજાયેલ સમીક્ષા બેઠકમાં વિવિધ કચેરીઓ દ્વારા લઘુમતી જાતિઓ માટે યોજનાવાર કરવામાં આવેલ ખર્ચની સમીક્ષા અને લાભાર્થીઓને આપવામાં આવેલ લાભ વિશેની વિગતવાર ચર્ચા કરી હતી.
દક્ષિણીએ લઘુમતી સમાજના લોકોને રાજય સરકારની વિવિધ યોજનાઓનો લાભ વધુમાં વધુ કેવી રીતે પ્રાપ્ત થાય તે વિશે ચર્ચા કરી યોગ્ય આયોજન હાથ ધરવા સુચવ્યું હતું. બેઠકમાં આ ઉપરાંત SEBC, EBC, NTDNT, MINORITY જાતિની વિભાગ દ્વારા ફાળવવામાં આવેલ ગ્રાંટની સામે થયેલ ખર્ચની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
કલેકટર દક્ષિણીએ બેઠક દરમિયાન લઘુમતીના વિસ્તારોમાં માળખાકીય સુવિધા, આરોગ્ય, કૌશલ્યવર્ધન, રોજગાર અને શિક્ષણ જેવા અગત્યના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવા પર ભાર મૂકયો હતો.
બેઠકમાં જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી એ. એન. પટેલએ કરવામાં આવેલ કામગીરીની વિગતો આપી હતી જેમાં જાન્યુઆરીના અંત સુધીમાં ફાળવવામાં આવેલ રૂ. 3543.95 લાખની ગ્રાંટ સામે રૂ. 3424.39 લાખનો એટલે કે 96.63 ટકા ખર્ચ કરવામાં આવ્યો છે, જયારે 3,33,070 લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો હોવાનું જણાવી આગામી માર્ચ-2022 સુધીમાં આ જાતિઓ પાછળ કુલ રૂ. 44 કરોડનો ખર્ચ કરવાનું લક્ષ્યાંક નિયત કરવામાં આવ્યું હોવાનું ઉમેર્યું હતું.
બેઠકમાં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા લઘુમતીના વિકાસ માટે કાર્યરત પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં બોરસદ નગરપાલિકાની સભા મંડળ (ભવન), પાંચ અર્બન હેલ્થ સેન્ટર તથા આણંદ મુકામે કોમન સર્વિસ સેન્ટર માટે ફાળવેલ કુલ રૂ. 376 લાખના કામોની સમીક્ષા કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ જો સુરતમાં 30 બોમ્બ ફુટ્યા હોત તો સૌથી વધુ જાનહાનિ થઈ હોત
આ પણ વાંચોઃ Rajkot: લેટર બોમ્બના ત્રણ દિવસ બાદ સીપી મનોજ અગ્રવાલ મીડિયા સમક્ષ આવ્યા, કહ્યું આક્ષેપો અંગે તપાસ ચાલુ છે