Anand: વ્હેલ માછલીની ઉલટી તરીકે ઓળખાતાં અંબર ગ્રીસ સાથે 6 શખસોની ધરપકડ, બજારમાં ખૂબ ઉંચા ભાવે વેંચાય છે આ ગ્રીસ

આણંદની એસઓજી પોલીસને બાતમી મળી હતી કે વ્હેલ માછલીની ઉલ્ટીમાં નીકળેલ પદાર્થ અંબરગ્રીસ લઈને કેટલાક શખ્સો વેચવા માટે આણંદ શહેરમાં 80 ફૂટ રોડ પર ફરી રહ્યા છે.

Anand: વ્હેલ માછલીની ઉલટી તરીકે ઓળખાતાં અંબર ગ્રીસ સાથે 6 શખસોની ધરપકડ, બજારમાં ખૂબ ઉંચા ભાવે વેંચાય છે આ ગ્રીસ
Anand Whale fish vomit arrested 6 persons with amber grease
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 21, 2022 | 12:41 PM

આણંદ (Anand) શહેરમાં 80 ફૂટ રોડ પરથી પોલીસ (police) એ વ્હેલ માછલીની ઉલ્ટીમાં નીકળેલી 73.30 લાખની કિંમતની અંબર ગ્રીસ પદાર્થ વેચવા નીકળેલી ટોળકીને એસઓજી પોલીસે ઝડપી પાડી તેઓની વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે કારમાંથી અંબરગ્રીસ સાથે ઝડપાયેલા 6 શખ્સોની ધરપકડ કરી તેઓની પાસેથી મળેલું અંબર ગ્રીસ તેઓ ક્યાંથી લાવ્યા તેની પૂછપરછ કરતા તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા.

આણંદની એસઓજી પોલીસને બાતમી મળી હતી કે વ્હેલ માછલીની ઉલ્ટીમાં નીકળેલ પદાર્થ અંબરગ્રીસ લઈને કેટલાક શખ્સો વેચવા માટે આણંદ શહેરમાં 80 ફૂટ રોડ પર ફરી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે પ્રાપ્તિ સર્કલ પાસે છાપો મારી કારમાં બેઠેલા 6 શખ્સોને ઝડપી પાડી કારની તલાસી લેતા કારમાંથી પ્લાસ્ટિકની કોથળીમાં મુકેલા અંબરગ્રીસના 936 ગ્રામના બે ટુકડાઓ મળી આવ્યા હતા.

પોલીસે કારમાંથી અંબરગ્રીસ સાથે ઝડપાયેલા વડોદરાનાં ગીરીશભાઈ ચંદુભાઈ ગાંધી, વિક્રમભાઈ ધીરેન્દ્રભાઈ પાટડીયા, મીત જયેશભાઈ ગાંધી,મીત નીલકમલભાઈ વ્યાસ, બોરીયાવીનાં ધ્રુવિલકુમાર ઉર્ફે કાળીયો રમેશભાઈ પટેલ અને ખંભાતનાં જહુરભાઈ અબ્દે રહેમાન મંસુરીની ધરપકડ કરી તેઓની પાસેથી મળેલું અંબર ગ્રીસ તેઓ ક્યાંથી લાવ્યા હતા તે અંગેની પૂછપરછ કરતા તેઓ પોલીસને કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

પોલીસે જણાવ્યું હતું કે ટોળકી પાસેથી મળેલી 936 ગ્રામ અંબરગ્રીસ કે જે સામાન્ય રીતે વ્હેલની ઉલટી તરીકે ઓળખાય છે અને બજારમાં તેની કિંમત 73.60 લાખની છે. પોલીસે તેઓની પાસેથી ચાર મોબાઈલ ફોન અને અંબર ગ્રીસનો જથ્થો મળી કુલ 76.26 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

વ્હેલ માછલીના આંતરડામાં બનતો આ પદાર્થ વ્હેલ માછલી ઉલ્ટી કરે એટલે બહાર નીકળી જાય છે. તેને તરતા સોના તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉલ્ટીનો ઉપયોગ દવાઓ,અત્તર અને પરફ્યુમ બનાવવા માટે થાય છે. લાંબા સમય સુધી પરફ્યુમ તેમજ અત્તરની સુગંધ આ વ્હેલ માછલીની ઉલ્ટીને કારણે જ રહેવા પામે છે. જેથી તેની કિંમત અનેક ગણી હોય છે. એક કિલો વ્હેલ માછલીની ઉલ્ટીની કિંમત એક કરોડ ઉપરાંતની આંતરરાષ્ટ્રીય બજારમાં બોલાઈ રહી છે. હવે આ સમગ્ર મામલો ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યો છે ત્યારે આ સમગ્ર પ્રકરણમાં વધુ કેવા ફણગા ફુટવા પામે છે તે જોવું રહ્યું.

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">