અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે AMTSની બસ ખાડામાં ખાબકી,ચાર મુસાફરોને ઈજા પહોચી અન્ય મુસાફરોને બચાવી લેવામાં આવ્યા

અમદાવાદનું તંત્ર ખરેખર ખાડે ગયું છે તે વાત આજે વધુ એકવખત પુરવાર થઈ છે. અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે AMTSની બસ ખાડામાં ખાબકતા મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા. બસમાં સવાર મોટાભાગના મુસાફરોનો આબાદ બચાવ થયો છે જેમાં ચાર મુસાફરોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા છે. બસ ખાડામાં ખાબકવા અંગે જ્યારે ડ્રાઈવરને પૂછવામાં […]

અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે AMTSની બસ ખાડામાં ખાબકી,ચાર મુસાફરોને ઈજા પહોચી અન્ય મુસાફરોને બચાવી લેવામાં આવ્યા
http://tv9gujarati.in/amdaavad-na-vasi…havi-levaa-aavya/
Follow Us:
Pinak Shukla
| Edited By: | Updated on: Sep 19, 2020 | 5:26 PM

અમદાવાદનું તંત્ર ખરેખર ખાડે ગયું છે તે વાત આજે વધુ એકવખત પુરવાર થઈ છે. અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે AMTSની બસ ખાડામાં ખાબકતા મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા. બસમાં સવાર મોટાભાગના મુસાફરોનો આબાદ બચાવ થયો છે જેમાં ચાર મુસાફરોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા છે.

બસ ખાડામાં ખાબકવા અંગે જ્યારે ડ્રાઈવરને પૂછવામાં આવ્યું તો તેણે પહેલા એવો દાવો કર્યો હતો કે બ્રેક ન વાગી હોવાથી બસ ખાડામાં ખાબકી પરંતુ જ્યારે બસને બહાર કાઢવામાં આવીને બ્રેક ચેક કરવામાં આવી ત્યારે તો બ્રેક વાગતી જ હતી જેથી ડ્રાઈવરે કરેલો લૂલો બચાવ પણ ખાડે ગયો છે. બસ પાણી ભરેલા ખાડામાં ઉતરી જતા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ઘટનાને લઈ ટ્રાફિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

501 નંબરની આ બસ ઉજાલા સર્કલથી વૈષ્ણોદેવી રૂટની હતી. બસમાં સવાર જે મુસાફરોને ઈજા પહોંચી છે તેમનું કહેવું છે કે બસ ખૂબજ સ્પીડમાં હતી અને ડ્રાઈવરની ભૂલના કારણે જ ખાડામાં ખાબકી હતી.ખાડામાં ખાબકેલી બસને કેવી રીતે બહાર કાઢવી તે પણ મોટો પ્રશ્ન હતો. જેને પગલે તાત્કાલીક જેસીબીની ટીમ બોલાવવામાં આવી હતી અને મહા મહેનતે બસને બહાર કાઢવામાં આવી હતી. ઘટનાને લઈ તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">