Amreli: લાઠી અને બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જળ સમસ્યા વિકટ બની, ધારાસભ્ય વિરજી ઠુમ્મરે જિલ્લા કલેક્ટરને લખ્યો પત્ર
લાઠી અને બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જળ સમસ્યા વિકટ બની છે. ત્યારે ધારાસભ્ય વિરજી ઠુમ્મરે જિલ્લા કલેક્ટરને પત્ર લખી જળ સમસ્યાના નિરાકરણ માટે રજૂઆત કરી હતી.
અમરેલીના (Amreli district) લાઠી અને બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જળ સમસ્યા વિકટ બની છે. ત્યારે ધારાસભ્ય વિરજી ઠુમ્મરે જિલ્લા કલેક્ટરને પત્ર લખી જળ સમસ્યાના નિરાકરણ માટે રજૂઆત કરી હતી. ધારાસભ્યએ જણાવ્યું હતું કે, લાઠી અને બાબરાના ગામડાઓમાં મહીપરી યોજના અને નર્મદાનુ પાણી મળતું નથી. કેટલાક ગામડાઓમાં પાણી સંગ્રહ ક્ષમતા નથી. કેટલાક ગામડઓમાં જર્જરીત પાઈપ લાઈનના લીધે વિતરણ વ્યવસ્થા અટવાઈ છે. પાણી માટે લોકોને પડતી મુશ્કેલી નીવારવા તંત્ર દ્વારા સ્તવરે પગલા લેવા રજૂઆત કરવામાં આવી છે.
જાફરાબાદથી 50 નોટિકલ માઈલ દૂર ફરી ખલાસીનો અકસ્માત
અમરેલી જિલ્લાના જાફરાબાદથી 50 નોટિકલ માઈલ દૂર ફરી ખલાસીનો અકસ્માત થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. બોટની એંકર વાગી જવાના કારણે ખલાસીને ગંભીર ઇજા થઈ હતી. મધ દરિયે ગંભીર સ્થિતિમાં હોવાને કારણે કોસ્ટગાર્ડને જાણ કરવામાં આવી છે. પોરબંદર કોસ્ટગાર્ડની ટીમ હેલિકોપ્ટર મારફતે મધ દરિયે રવાના થઈ હતી. ખલાસીને બચાવવા માટે કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવશે. મહત્વનું છે કે, હેલિકોપ્ટર સાથે પીપાવાવ કોસ્ટગાર્ડની શિપ પણ બચાવવા થોડીવારમાં રવાના થશે. 2 દિવસ પહેલા એક ખલાસીનું મધ દરિયામાં મોત થયુ હતુ આજે ફરી ત્રીજી ઘટના બની છે.