Corona : ભગવાન હવે તો તું એક જ ઉપાય, કોરોના મહામારીથી વિશ્વને બચાવવા ગ્રામજનોએ કર્યો મંદિરમાં હવન

વૈશ્વિક મહામારીમાંથી મુક્તિ મેળવવા માટે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા ગ્રામજનો દ્વારા મંદિરમાં હવન યજ્ઞ કરી વિશ્વને આ મહામારીમાંથી મુક્તિ મેળવવા શાસ્ત્રીઓ દ્વારા પ્રાર્થના કરાઇ.

Corona : ભગવાન હવે તો તું એક જ ઉપાય, કોરોના મહામારીથી વિશ્વને બચાવવા ગ્રામજનોએ કર્યો મંદિરમાં હવન
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: May 13, 2021 | 6:24 PM

Corona : અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા તાલુકાના રામપરા ગ્રામજનો દ્વારા ગામમાં આવેલ સૂવાયમાતાજી ના મંદિર ખાતે વૈશ્વિક મહામારીના કારણે હવન યજ્ઞ કરી આ મહામારીમાં જે પરિવારના સ્વજનો ગુમાવ્યા છે, તેમના આત્માને શાંતિ મળે, સાથે રામપરા ગામ અને સમગ્ર વિશ્વમાંથી આ કોરોના મહામારીમાંથી લોકોને મુક્તિ મળે તે માટે આ શાસ્ત્રીઓ દ્વારા આજે હવન યજ્ઞ કરી પ્રાર્થનાઓ કરી હતી.

જેમાં ગામના સરપંચ સહીત ગામના સામાજિક અગ્રણીઓ જોડાયા હતા. અને સવારથી સાંજ સુધી આ હવન યજ્ઞ કરાયો હતો. જેથી સ્વજનોના પરિવારને શાંતિ મળે તેવી પ્રાર્થના કરાઇ હતી.

રામપરા ગ્રામ પંચાયત દ્વારા અહીં પીપાવાવ પોર્ટના સહયોગથી વૃંદાવન બાગ આશ્રમ ખાતે કોવિડ સેન્ટર શરૂ કરાયુ છે. જેથી ગામના લોકોને અહીં જ સારવાર મળી રહે. જેમાં આરોગ્ય વિભાગ તબીબો પણ અહીં હાજર રહે છે. અને ગામના દર્દી ઓ માટે અહીં હોસ્પિટલ ઉભી કરાય હોય તે પ્રકારની સુવિધા અપાય છે. સાથે પીપાવાવ પોર્ટ દ્વારા આ કોવીડ સેન્ટરને ઓક્સિજનના મશીનો આપ્યા છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

જેથી ગ્રામજનોને અન્ય શહેરમાં જવાની જરૂર પડતી નથી અને ગામના સરપંચના કહેવા પ્રમાણે ગામમાં હજુ સુધી કોરોનાના કારણે એક પણ વ્યક્તિનુ મોત નથી થયું. ગ્રામજનો અને સરપંચની સતત જાગૃતાના કારણે ગામ લોકો સતત માસ્ક પેહરી રાખે છે.અને બિનજરૂરી બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે.ઉપરાંત ગ્રામજનો ને સૌથી વધુ કુદરત ઉપર આશા રાખી ચાલી રહયા છે.

રાજુલા તાલુકાના નાનકડા એવા રામપરા ગામમાં અગાઉ છુટાછવાયા 10 જેટલા કોરોના કેસ હતા. હાલમાં તમામ લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. ઉપરાંત તબીબના જણાવ્યા પ્રમાણે દરોજ અહીં 15 ઉપરાંતના સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીને અહીં જ દવા આપી સારવાર આપવામા આવે છે જેથી લોકો કોરોનાથી બચી રહ્યા છે.

આમ આ રીતે વૈશ્વિક મહામારી માંથી મુક્તિ મેળવવા માટે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા ગ્રામજનો દ્વારા મંદિરમાં હવન યજ્ઞ કરી વિશ્વને આ મહામારીમાંથી મુક્તિ મેળવવા શાસ્ત્રીઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી.

આ પણ વાંચો : કોરોનાથી ઝઝૂમી રહેલા યુવા સાહિત્યકારનો વીડિયો જોઈ કુમાર વિશ્વાસ થયા દુ:ખી, તાત્કાલિક સ્વાસ્થ્ય મંત્રી સાથે કરી વાત

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">