Amreli: વિદ્યાર્થીઓને વાલીઓ ઘરે લઈ ગયા, પ્રજ્ઞાચક્ષુ શિક્ષકના સ્થાને બીજા શિક્ષક મૂકવાની માંગ
ધોરણ ચારમાં અભ્યાસ કરાવતા પ્રજ્ઞાચક્ષુ શિક્ષકની જગ્યાએ બીજા શિક્ષકોને મૂકવામાં આવે, જેથી કરીને વિદ્યાર્થીઓનો (Students) અભ્યાસ ના બગડે આ અગાઉ પણ ગ્રામજનોને સરપંચ દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હતી, ત્યારે આજે વાલીઓનો રોષ જોવા મળી રહ્યો હતો.
અમરેલી (Amreli) જિલ્લાના લિલીયા (Liliya) તાલુકાના પાંચ તલાવડા ગામે આવેલી શાળામાં વિદ્યાર્થીઓને પ્રજ્ઞાચક્ષુ (Blind teacher) શિક્ષકો ભણાવતા હતા, તેમજ વિદ્યાર્થીઓને પોતાના વાલીઓ ચાલુ શાળાએ ઘરે લઈ ગયા હતા. વાલીઓની માંગ છે કે ધોરણ ચારમાં અભ્યાસ કરાવતા અને શિક્ષકની જગ્યાએ બીજા શિક્ષકોને મૂકવામાં આવે, જેથી કરીને વિદ્યાર્થીઓનો અભ્યાસ ના બગડે. વાલીઓની માંગ છે કે ધોરણ ચારમાં અભ્યાસ કરાવતા પ્રજ્ઞાચક્ષુ શિક્ષકની જગ્યાએ બીજા શિક્ષકોને મૂકવામાં આવે, જેથી કરીને વિદ્યાર્થીઓનો (Students ) અભ્યાસ ના બગડે આ અગાઉ પણ ગ્રામજનોને સરપંચ દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હતી, ત્યારે આજે વાલીઓનો રોષ જોવા મળી રહ્યો હતો અને વાલીઓ ધોરણ ચારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ઘરે લઈ ગયા હતા.
પે સેન્ટર શાળામાં માત્ર 6 શિક્ષકનો સ્ટાફ,1 શિક્ષક પ્રજ્ઞાચક્ષુ
લિલીયા તાલુકાના પાંચ તલાવડા ગામે આવેલ પે સેન્ટર શાળામાં ધોરણ ચારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એક પ્રજ્ઞાચક્ષુ શિક્ષક ભણાવી રહ્યા છે, ત્યારે આપેલ સેન્ટર સ્કૂલમાં એકથી આઠ ધોરણના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાં માત્ર છ જ શિક્ષકો છે, ત્યારે ધોરણ ચારમાં એક પ્રજ્ઞાચક્ષુ શિક્ષક વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે, ત્યારે અહીંના વાલીઓની માંગ છે કે આ પ્રજ્ઞાચક્ષુ શિક્ષકની જગ્યાએ બીજા શિક્ષકોને અહીં મૂકવામાં આવે. આથી ધોરણ ચારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો અભ્યાસ ના બગડે ત્યારે આજે ધોરણ ચારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પોતાના વાલીઓ ચાલુ શાળાએ ઘરે લઈ ગયા હતા.
વાલીઓની માંગ છે કે ધોરણ ચારમાં અભ્યાસ કરાવતા અને શિક્ષકની જગ્યાએ બીજા શિક્ષકોને મૂકવામાં આવે, જેથી કરીને વિદ્યાર્થીઓનો અભ્યાસ ના બગડે આ અગાઉ પણ ગ્રામજનોને સરપંચ દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હતી. ત્યારે આજે વાલીઓનો રોષ જોવા મળી રહ્યો હતો અને વાલીઓ ધોરણ ચારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી ઘરે લઈ ગયા હતા, વાલીઓની માંગ છે કે અહીં ધોરણ ચારમાં અભ્યાસ કરાવતા પ્રજ્ઞાચક્ષુ શિક્ષકની જગ્યાએ કોઈ બીજા શિક્ષકને મૂકવામાં આવે.
પ્રજ્ઞાચક્ષુ શિક્ષક ભણાવતા હોવાથી વાલીઓ ઘરે લઈ ગયા
લીલીયા તાલુકાના પાંચ તલાવડા ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ હોવાથી બાળકોનું શિક્ષણ કથળ્યું હોવાથી શિક્ષકોની ઘટ પુરી નહીં થાય ત્યાં સુધી શાળા બહિષ્કાર કરવાની વાલીઓએ ચિમકી આપતાં ખળભળાટ મચી ગયો હતો. ગ્રામજનોએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષથી શાળામાં શિક્ષકોની ઘટ હોવાની રજૂઆતો કરી રહ્યા છીએ. આથી અન્ય શિક્ષક મુકવા વાલીઓએ આચાર્યને અલ્ટીમેટમ આપ્યું હતું. લીલીયાના ગ્રામ્ય વિસ્તારોમાં વિદ્યાર્થીઓની ઘટને કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલી વેઠી રહ્યા છે અને અભ્યાસ પણ ખોરવાઈ રહ્યો છે, અહીં શાળામાં શિક્ષકોની ઘટ્ટને કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે.
વિથ ઇનપુટ: રાહુલ બગડા